Posts

Showing posts from September, 2020

Mother give birth to me: the cry of a fetal daughter

Image
 તારામાં મારાં અહેસાસથી તું કેટલી ખુશ હતી માઁ,    તો અચાનક આટલી દુ:ખી કેમ થઈ ગઈ માઁ?                        તારામાં ઉછરી રહેલ માતૃત્વની લાગણી અમર હતી માઁ,  તો મારાં જીવનાં પરિક્ષણથી તારું માતૃત્વ કેમ મરી ગયું માઁ?  તારામાં ઉછરી રહેલ જીવને તું કુળદીપક માનતી હતી માઁ,   મારાં જન્મ પહેલા તે કેમ માની લીધું હું કુળને નહીં દિપાવું માઁ? તારામાં ઉછરી રહેલ જીવને તું વારસદાર માનતી હતી માઁ,  તું મને જન્મ તો આપ, હું આભને આંબતું નામ કરીશ માઁ. તને મળેલ કુદરતી ભેટ મેળવવા કેટલીય માનતાઓ મનાય છે માઁ,  તું નસીબદાર છો સૃષ્ટિનાં ક્રમને આગળ વધારવા કુદરતે તને યોગ્યતા આપી માઁ.  તું તારી ઈચ્છાથી કુદરતના ક્રમને ખોરવે છે કે પરિવાર નાં દબાણથી માઁ,  મને તો લાગે છે કે તું તારી સંપૂર્ણ ઈચ્છાથી જ મારી હત્યા કરાવે છે માઁ.  મારી હત્યા સમયે તારી આંખના આંસુએ મને તારા માતૃત્વનો અહેસાસ કરાવ્યો માઁ,  જતા-જતા ભગવાનને પ્રાર્થના કરું કે તારા પાપની સજામાંથી તને મુક્તિ આપે માઁ.              ભારત દેશની દીકરીએ દરેક ક્ષેત્રમાં પોતાની સિદ્ધિ નોંધાવી છે. લગ્ન પછી ગૃહિણી બન્યા બાદ બેવડી જવાબદારી પૂર્ણ કરવામાં પણ સફળ નીવડી છે. તેમ છતાં

Happiness of life

Image
  ના રહે મને કોઇ પ્રત્યે ફરિયાદ,  આપી શકું હું સર્વને ક્ષમા. ના દેખાય મને બીજાના દોષ,   જોઈ શકુ હું સર્વના ગુણ. ના બનાવે મને સંજોગ આધિન,  બનાવી શકું હું સંજોગને અનુકૂળ. ના દેખાય મને મારો સ્વાર્થ,  મેળવી શકું હું અપાર શાંતિ-સંતોષ.  ના સમજાય મને જો આ સત્ય તો,  રાખી શકું હું જીવને કેવી રીતે ખુશ ?              જીવનનો મોટા ભાગનો સમય આપણે ફરિયાદો કરવામાં જ વ્યતિત કરીએ છીએ. તેને મારી સાથે આમ ના કરવું જોઈએ, તેઓ મારી કદર નથી કરતા, મે કેટલુ જતું કર્યું પણ મને શું મળ્યું, મારે જ દર વખતે વગર વાંકે સાંભળવાનું અને બીજી ઘણી બધી ફરિયાદો સંબંધોમાં ઉદભવતી હોય છે. બીજા પ્રત્યે ફરિયાદ કરતા પેહલા આપણી જાતનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ક્યાંક બીજાની ભૂલ માટેનું મૂળ કારણ આપણે તો નથી ને? કદાચ આપણી ભૂલ છે જ નહીં, આપણે સાચા જ છીએ તો પણ, જેટલી ફરિયાદો ઓછી કરશુ તેટલો મનનો બોજ હળવો થશે. સંબંધને મજબૂત રાખવાની એક જ ક્ષમા નામની દવા છે. આપણે બીજાની ભૂલની ક્ષમા આપીએ એટલે આપણું મન જ હળવું ફૂલ બની જાય છે. બીજાની ભૂલને ભૂલીને આપણા મનને જ શાંતિનો અહેસાસ થાય છે. સાચા દિલથી આપેલી ક્ષમાથી આજે નહીં તો કાલે વ્યક્તિને પોતાની ભૂલનો