Posts

Crying is not weakness, bt its inner strength

Image
નબળા ત્યારે કહેવાઈએ  જયારે કોઈને તકલીફ આપીએ, સંજોગો સામે હારી જઈએ. હૃદયનો ભાર રડીને હળવો કરી લેવાથી,  નબળા નથી બની જતા. હસવું અને રડવું જેવી માનવ સહજ ક્રિયામાં  કોઈની કાબેલિયત સિદ્ધ નથી થઈ જતી. જયારે કોઈ દીકરો રડે, ત્યારે મોટા ભાગના લોકો એમ કહેતા હોય છે કે, "તું છોકરી છો, તેં રડે છો?" હસવું-રડવું એ સહજ ક્રિયામાં પણ ભેદભાવ. મજબૂતાઈ રડવાથી નબળી નથી થઈ જવાની. અચરજ તો ત્યારે થાય જયારે એક સ્ત્રી પોતાના પુત્ર સંતાનને એમ કહે કે, "છોકરીની જેમ રડતો નહી." મોટી થતી દીકરીને થતી શારીરિક પીડા મોટા થતા દિકરાને નથી આવતી, માતા બને ત્યારે થતી પીડા તો એ જાણતી જ હોય છે. છતાં, સ્ત્રી થઈને સ્ત્રીના પાત્રની મજબૂતાઈને નબળી એક સ્ત્રી જ બનાવે છે. માનવસહજ ક્રિયામાં રડવું આવે, તો રડી લેવાનું. તેનાથી સક્ષમતા ઓછી નથી થતી, પણ, વધે છે. કેમકે, લાગણીશીલ છે, તે રડે છે. જ્યાં લાગણી હોય, તે સંબંધોને પણ મજબૂતાઈથી પકડી રાખે છે.  મજબૂતાઈ એ છે જ્યાં આજુબાજુ વિપરીત સંજોગો હોય છતાં, ધૈર્ય ધરી મક્કમતાથી યોગ્ય નિર્ણય લઈ પોતાના જીવનની સાથે અન્યોના જીવનનું કલ્યાણ કરે. તે દીકરી પણ કરે અને દીકરો પણ કરી શકે. બ...

Strengthen your thoughts and perspectives rather than your life circumstances.

Image
  હજાર કારણો હાજર છે દુઃખી રહેવાના, તૈયાર જ હોય છે ફરિયાદો ને બળાપા, અંધ બની જાય છે દ્રષ્ટિ, આનંદિત રાખતા કારણ પ્રત્યે, આંસુઓની વચ્ચે ચહેરા પર, મહામુલુ સ્મિત વરસાવી શકનાર, નબળા સંજોગોને મજબૂત મનથી હરાવી, નિજાનંદમાં રહેતા જીવ ઈશ્વરે સર્જેલા કિંમતી સર્જનને સાર્થક કરે છે. જીવનમાં દુઃખી, ઉદાસ, હતાશ રહેવાના હજારો કારણો મળી રહેશે. પણ, સુખી, આનંદિત અને સંતોષી રહેવાનું કોઈ એક કારણ જીવનમાં હોય, તો હજાર કારણોને ભૂલીને તે એક કારણને પ્રાથમિકતા આપો. કેમકે, ઈશ્વરે આપેલું સુંદર જીવન જીવવા માટે છે, મરતા-મરતા જીવવા માટે નહીં. આપણા વિચારો અને આપણી આવડત પર જ જીવનમાં બનતી ઘટનાઓની પ્રતિક્રિયા સકારાત્મક બનાવી શકીએ. જેમકે, કોઈ અપમાનિત કરે, ત્યારે તેના શબ્દો ને વર્તન કરતા આપણું મન મજબૂત હોવું જોઈએ. નમ્રતાથી જવાબ આપી ઘટનાને ભૂલી જવી, આપણે ખડે પગે રહ્યા હોય છતાં, કોઈ આપણી જરૂરના સમયે મદદે ના આવે, તો સમજવુ કે, કોઈને મદદ કરી શકીએ એટલા ઈશ્વરે આપણને કાબેલ બનાવ્યા છે ને, મારી પડખે તો, જગતના સર્જનહાર છે, બધુ તેમને સમર્પિત છે. આવી જીવનની બીજી ઘણી બાબતો હોય શકે, આપણા વિચારો અને દ્રષ્ટિકોણ જ જીવન જીવતા અ...

Giving Time our kids is an investment. It gives return now as well as future.

Image
ભગવાનની  કૃપાથી આંગણે ખીલ્યું કુમણું પુષ્પ, ઉગ્યું ત્યારે જોઈને થઈ ખૂબ ખુશી, પણ, ઉગેલું પુષ્પ કાંઈ એમનેમ નથી ઉછરતું, પાણીની સાથે પ્રેમ આપીએ, ખાતરની સાથે સંભાળ રાખીએ, પોષણની સાથે સ્નેહ આપીએ, સૂર્ય પ્રકાશની સાથે સ્પર્શ આપીએ, નીંદણની સાથે તેને ભરપૂર વ્હાલથી નીરખીએ, ને સાથે-સાથે આપણે શ્રદ્ધા દાખવીએ, તો પુષ્પ ખીલવાની સાથે મહેકી ઉઠશે. આખા દિવસના ચોવીસ કલાકમાંથી પોતાના સંતાન માટે ફક્ત અડધી કલાક ગુણવત્તાસભર કાઢી ના શકતા માતા-પિતાને સંતાન પાસેથી નાનપણથી જ બહુ બધી અપેક્ષાઓ બંધાયેલી રહે છે. બાળકોને કહેવા કરતા આપણું કરેલું વધારે સમજાય છે. અત્યારના બીઝી માતા-પિતાને બાળક કેવી રીતે વ્યસ્ત રહે એમાં જ રસ છે. પણ, તંદુરસ્ત ચર્ચા કરવામાં નથી. બાળકો સાથે વાત કરીએ, તો, તેઓનો આત્મવિશ્વાસ વધે છે. તેની અંદર કેવા પ્રકારની રુચિ છે, તે જાણી શકાય છે. બાળકને વ્યસ્ત રાખવા કરતા તેની સર્જન શક્તિ ખીલવીએ. આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પણ થોડી વાતચીત, થોડી રમત, થોડી મસ્તી તો કરી જ શકીએ છીએ. બાળકને તમારી પાસેથી આનાથી વધારે અપેક્ષાઓ પણ નથી. પણ, મોટા ભાગના માતા-પિતા કામકાજ ઉપરાંત મોબાઈલમાં નુકશાનકારક બિન જરૂરી સ...

Every pain has cure

Image
  જીવનમાં જયારે કુદરતી રીતે પીડા મળે, ત્યારે તેનો મલમ સમય હોય છે. જયારે સામેથી નોતરેલી પીડા મળે, ત્યારે તેનો મલમ પસ્તાવો અને જાતસુધાર હોય છે. જયારે અન્ય દ્વારા પીડા મળે, ત્યારે તેનો મલમ સમજદારી હોય છે. જીવનમાં દુઃખનું હોવું સ્વાભાવિક છે, પણ, તે દુઃખનું કેવી રીતે સંચાલન કરવું, તે માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. દુઃખને શ્વાસો પર હાવિ થવા દેવું કે દુઃખ સામે લડવું,  તે પણ માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. જયારે કુદરતી રીતે પીડા મળે, એટલે કે, આપણા હાથમાં કશું ના હોય અને અચાનક જ એવી ઘટનાઓ બને કે જેમાં આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય ને દિવસ-રાત કાઢવા અઘરા થઈ પડે, ત્યારે એ દુઃખને વહી જવા દેવું, વ્યક્ત થઈ જવા દેવું. ધીરજ રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખવી કે જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે, તેમાં તેને મારા જીવનની યોજના આ પ્રમાણે બનાવી હશે. ઈશ્વરને સમર્પિત જીવન પીડા ઓછી કરે છે. આ પીડાનો મલમ સમય છે. જેમ સમય પસાર થઈ જાય છે, તેમ પીડાનો સ્વીકાર થઈ જાય છે, સત્યનો, પરમતત્વની મરજીનો સ્વીકાર થઈ જાય છે.  જીવનમાં ક્યારેક જાણતા કે અજાણતા આપણાથી થયેલી ભૂલની સજા મળે, ત્યારે થતી પીડાનો મલમ જાતનો સુધાર કરીને...

There is no power in any situation that can defeat you to live beautiful life. 🙂🙂

Image
  જીવનમાં બધુ જ બધાને ક્યારેય નથી મળતું. બીજાની સરખામણી કરશું, તો સતત અધૂરપ જ અનુભવાશે. ક્યારેક ઈચ્છા કે અરમાનો પણ અધૂરા રહી જતા હોય છે, ક્યારેક ખૂબ મહેનત કરી હોય છતાં, ધાર્યું પરિણામ નથી મળતું હોતું. ક્યારેક જેના પર સર્વસ્વ અર્પયું હોય, તે સમજી ના શકે અથવા અવગણના કરે. ત્યારે માણસને એક પ્રકારનો માનસિક થાક અનુભવાતો હોય છે. આવી રીતે જયારે થાકી જવાય, ત્યારે હારી જવાને બદલે થોડો સમય વિરામ લેવો. નથી મળ્યું તેની ફરિયાદ છોડી, જે છે તેને સ્વીકારી લઈશુ, કોઈ પણ જાતની અપેક્ષાઓ બાંધ્યા વગર પોતાના અસ્તિત્વને ઉજવશું, તો એક નવી ઉર્જા મળશે. આ નવી ઉર્જા મેળવવાની આવડત જીંદગી સામે જીતવાનું શીખવે છે. કોઈ પાસે રૂપ હોય, તો કોઈ પાસે સંપત્તિ હોય, કોઈ પાસે આવડત હોય, તો કોઈ પાસે હોદ્દો હોય, કોઈ પાસે હૃદયની લાગણીઓને સમજનાર વ્યક્તિ હોય, તો કોઈ લોકોના ટોળા વચ્ચે રહીને પણ અંદરથી એકલતા અનુભવતા હોય, અને આ સિવાય બીજું ઘણુ બધું હોય શકે. ટૂંકમાં, બધું બધાને ક્યારેય નથી મળતું. જે મળ્યું છે, તેમાં અનુકૂલન સાધવાની કળા આવડી જાય, એટલે માણસ સુખી. બાકી દુઃખી રહેવાના કારણોની ક્યાં ઓછપ છે?  માણસ પાસે જે હોય તે તેન...

The pain we experience does not reach others, such feelings and actions become immortal.

Image
  મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમેં વેઠ્યા, તે બીજા પણ વેઠે, તો તેમને ખ્યાલ આવશે, કે અમેં કેટલો સંઘર્ષ કર્યો." જયારે અમુક લોકોના કાર્ય એવા હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમે સહન કર્યા, તે બીજાએ ના કરવા પડે." તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહીને પોતે ભલે તાપ વેઠ્યો, પણ, બીજા માટે છાંયડાની ટાઢક પાથરતા જાય છે. બીજાને પીડા ના થાય અથવા પીડા પર મલમ લગાવી રાહત આપવાના કાર્ય કરતા અમુક લોકોના જીવને ભલે પીડા વેઠી, પણ, બીજાના જીવનને સુધારી, તેમની યાદોની, કર્મની મીઠી સુવાસમાં સદા  જીવતા હોય છે.  મેં સહન કર્યુ,  એટલે બીજાને પણ તે કષ્ટ પડવા જ જોઈએ. તેવું ભાવ જગત જીવનને, અંતે આત્માને દુર્ગતિ તરફ લઈ જાય છે.  મેં સહન કર્યુ,  હવે એવું બીજા સાથે ના થાય,  તેવી લાગણીઓ અને કાર્યો, ભલે જીવનમાં કષ્ટ ભોગવ્યા હોય,  પણ, અંતે જીવન અને આત્મા સદ્દગતિ પામે છે. ધ્રુવ દાદાની નવલકથા "કર્ણલોક"માં દુર્ગા નામના પાત્રનું ખૂબ સરસ આલેખન કર્યુ છે. અનાથઆશ્રમમાં ઉછરેલી બાળાને મોટી થાય, ત્યાં સુધી કોઈ દત્તક લઈ જતું નથી. કેમકે, તે કચરાના ઢગલા પરથી કુતરાઓ ઢસડીને લઈ જતા...

Do not fulfill responsibilities at the cost of self respect.

Image
જીવનમાં બને ત્યાં સુધી જતું કરવું, સંઘર્ષ કરવો. પણ, આત્મસન્માનના ભોગે નહીં. આત્મસન્માનથી વિશેષ મૂલ્યવાન કશું જ નથી. કોઈનું હિત થાય, તેના મુશ્કેલીના સમયમાં હું પણું દાખવ્યા વગર સંપૂર્ણ સાથ આપીએ, ત્યાં સુધી કે, અમુક બાબતોનો તેને ખ્યાલ પણ ના આવવા દઈએ ને જાતને અગવડતા આપીને તેમને સગવડતા આપીએ. આ બધું તમને મળશે એવી ભાવનાથી જો કાર્ય કરતા હોય, તો ના કરવું. કેમકે, તે તો સ્વાર્થની ભાવનાથી થયું કહેવાય. કરેલા કાર્યની નોંધ ના લેવાય, તો કાંઈ નહીં. કેમકે, ઈશ્વરે તમને શક્તિ અને સમજ આપ્યા છે, એટલા માટે તમે કરી શક્યા. જો, શક્તિ અને સમજ હોવા છતાં, તમે અન્યનું કાંઈ ના કરી શકો, તો, તમે ઈશ્વરના જ ઋણી બની રેહશો. પણ, જેમનું હિતકારી ઈચ્છવા અને કરવા છતાં, જો, તમારી ઉપસ્થિતિની અવગણના કરવામાં આવે, તો ત્યાંથી અટકી જવા માટે ઈશ્વર પણ આપણને દોષિત ના ઠેરવી શકે. જો તમે અટકશો, તો જ તેમને તમારી ઉપસ્થિતિનો તો ખ્યાલ આવશે, સાથે-સાથે તેમની જવાબદારીઓ શું છે, તે સમજી શકશે. સતત સગવડતાઓ અંદરથી ખોખલા બનાવે છે. તમારા અન્ય માટેના કાર્ય માટે અટકી જવાથી, કદાચ તેમના માટે ખરા અર્થમાં હિતકારી પણ હોય શકે. પોતે પોતાનું કાર્ય જાતે કરતા ...