Posts

Showing posts from January, 2021

Store Always Good thing

Image
 મગજની રચના પણ છે કેવી નિરાળી! ખરાબ સાચવી રાખે ને સારૂ ભૂલી જાય. સચવાયેલું  ભારણ થાય છે મગજ પર હાવી, વર્ષો જૂનો સડેલો બોજ બને છે સંબંધનો દુશ્મન. સબંધનો શત્રુ જીતી બનાવે છે સબંધોને વાસી, વાસી સંબંધ તોડે છે અંતે હૃદયના જોડાણ.                    લોકકહેવત એકદમ સાચી છે કે, "તમે ગમે તેટલું સારૂ કરશો તો તે વધારે સમય યાદ નહીં રહે, પણ, તમારાથી ભૂલે ચુકે ખરાબ થઈ ગયું તો તે છેલ્લે સુધી યાદ રહેશે."ભગવાને મનુષ્યના મગજની રચના એવી કરી છે કે તે સ્વભાવગત લક્ષણ છે તે ખ્યાલ નથી પણ, આ વાત સાચી જરૂર છે. અને એ વાત પણ સાચી છે કે સારૂ કર્યું હોય તેનું ફળ પણ સારૂ જ મળે, આજે નહીં તો કાલે, મળે જરૂર.              લોકો મારા કાર્યના વખાણ કરે એટલે મારે સારૂ કરવું અને જો લોકો મારા કાર્યની કદર ના કરે તો મારે તે છોડી દેવું એવું વલણ અપનાવવું યોગ્ય નથી. લોકોની આપણા કાર્ય કે આપણા પ્રત્યે જે દ્રષ્ટિ હોય તે આપણે આપણી ફરજ ચૂકવી ના જોઈએ. વ્યક્તિનું માનસ એવું છે કે તેની સાથે અણગમતું કાંઈ થયું હોય તો તે ભૂલી શકતો નથી. તેના મગજમાં તે ઘટના વારંવાર ઘુમરાયા કરે છે. વર્ષોના વર્ષો વીતી જાય તો પણ તે ઘટના એમને એમ સાચવયેલી રહે

The youth of life

Image
 શક્તિ એ જ જીવન છે, દુર્બળતા તો મૃત્યુ છે. આત્મશ્રદ્ધાથી આગળ વધતા રહેવું જ જીવન છે, અહંકાર કેળવી હુંને પોષતા રહેવું તો મૃત્યુ છે. કર્મ અને ફરજ નિભાવવા એ જ જીવન છે, તેના તરફ બેધ્યાન બની બેસી રેહવું તો મૃત્યુ છે.                      તારીખ બાર જાન્યુઆરી શ્રી સ્વામી વિવેકાનંદજીનો  જન્મદિવસ, રાષ્ટ્રીય યુવા દિવસ છે. યુવા એટલે ઉંમરથી નહીં પણ,મનથી યુવાન, વિચારોથી યુવાન,કર્મથી યુવાન.પોતાનામાં રહેલી અખૂટ શક્તિને પારખી તેને સાચી દિશામાં આગળ વધારવી એ જ તો જીવનની સજાગતા છે.સંઘર્ષ, દુઃખ એ તો જીવનનું સત્ય છે, એ તો જીવનમાં રહેવાનું જ. સતત એવી નિર્બળતાના રોદળા રડ્યા કરવા એ તો મૃત્યુ સમાન જ છે.          પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા હોય તેને કોઈ મુશ્કેલી નથી નડતી. આત્મવિશ્વાસ એક પ્રેરકબળ છે. મને વિશ્વાસ છે કે ભગવાને મને આ કાર્ય કરવાની શક્તિ આપેલી છે તે હું કરી શકીશ, તે એક આત્મશ્રદ્ધા છે જે જીવનના શ્વાસોને  જીવંત બનાવે છે, જયારે, આ કાર્ય ફક્ત હું જ કરી શકીશ. મારા સિવાય આ કાર્ય થવું અશક્ય છે, હું છું તો જ બધું છે એવી ભ્રમણાં ધરાવતો માણસ પોતાના હું પણાના અહંકારને પોષે છે, આ શ્વાસો જીવન હોવા છતાં મૃત્યના શ્વા