Posts

Showing posts from February, 2022

State of mind in good and bad times

Image
 કાળદેવતાનું ચક્ર ફરતું રહે છે અવિરત, વહેતું રહે છે સાથમાં જીવનનું સુખ-દુઃખ. હોય જયારે જીવનમાં સુખનો વરસાદ, અસત્યરૂપી પટ્ટીથી દ્રષ્ટિ બની જાય છે અંધ. અંધ દ્રષ્ટિ નથી નિહાળી શકતી અન્યની પીડ, સ્વાર્થી બની સ્વત્વને પરમતત્વથી કરી દે છે દુર. હોય જયારે જીવનમાં દુઃખના ફક્ત છાંટણા જ, ખુદ પર વિતતા અસત્યના બંધનોથી દ્રષ્ટિ બને છે મુક્ત. મુક્ત દ્રષ્ટિ સમજે છે વસ્તુ-વ્યક્તિનું મુળ સત્ય, સત્ય દ્રષ્ટિ લઈ જાય છે સ્વત્વને પરમતત્વની સમીપ.           બ્રહ્માંડમાં કાળદેવતાનું ચક્ર સતત ફરતું રહે છે. ચક્રની ગતિની સાથે મનુષ્ય જીવનમાં સુખ-દુઃખ વહેતું રહે છે. જીવનમાં એકસરખા દિવસો કોઈ પણ માનવીને ક્યારેય નથી મળ્યા. ક્યારેક સંઘર્ષ,તો ક્યારેક સફળતા. ક્યારેક નિરાશા, તો ક્યારેક વિશ્વાસ. સમયની સાથે જીવન પણ બદલાતું રહે છે. બદલતા સમય અને જીવનની સાથે માનવીનો અભિગમ પણ બદલાતો રહે છે.           પોતાના જીવનમાં સુખના દિવસો દરમ્યાન બીજાના અવગુણો શોધવા ને તેને જાહેર કરવામાં, ઈર્ષ્યા કે નિંદા કરવામાં, પોતાની જાતને જ જબરદસ્તી શ્રેષ્ઠ સાબિત કરવા મથતો રહે છે. બીજાના દુઃખ -દર્દને જાણતો હોવા છતાં અવગણે છે. બીજાની પીડા સામાન્ય વાત સમજ

Ego Destroys everything

Image
 હું જ બધું કરું છું ને મારાથી જ બધું છે, તેવા વહેમમાં શાને રહે છે એ માનવ? અહીં તો પર્ણ પણ પ્રભુની મરજીથી ફરકે છે, તો તને કઈ વાતનું ઘમંડ છે એ માનવ? ખોટા અહંમમાંથી અસંતોષ જન્મે છે, તો આયખું શાને બોજરૂપ બનાવે છે એ માનવ? અંતે અભિમાન જ સદગુણોને સમાપ્ત કરે છે, તો અશાંતિ વ્હોરી સર્વનો દુશ્મન શાને બને છે એ માનવ? કાર્યક્ષમતા,આવડત ને વૈભવ એ કુદરતની બક્ષિસ છે, તેનો લોક-કલ્યાણ અર્થે સદુપયોગ કર એ માનવ.              માનવીની નબળાઈ એ છે કે તેની વાહ-વાહ થાય, તેના બધા વખાણ કરે એવું તે ઈચ્છે છે. કોઈ તેનું નકારાત્મક પાસું બતાવે તો તરત જ તે વ્યક્તિ પ્રત્યે પોતાનો અણગમો પ્રગટ કરે છે.દરેક માનવીમાં સકારાત્મક અને નકારાત્મક વિચારોનું યુદ્ધ સતત ચાલતું જ રહે છે.જેનામાં માફ કરી દેવાની ભાવના હોય, પોતાનું નબળું પાસું સ્વીકારી લેવાની ક્ષમતા હોય તેનામાં સકારાત્મક વિચારો વિજય બને છે અને જેનામાં દ્રેષ, વેરભાવ, ઈર્ષ્યા, બદલો લેવાની અને કોઈને સંભળાવી દેવાની ભાવના હોય તેનામાં નકારાત્મક વિચારો વિજયી બને છે. જે પ્રકારના વ્યક્તિના વિચારો વિજયી બને તેવું તેનું વર્તન થાય છે. આખરે વાણી અને વર્તન એ મનમાં જન્મેલા વિચારોનું તો ફળ