Posts

Showing posts from April, 2022

Don't depend on others for your work

Image
 જે છે પુરી રીતે કાર્યક્ષમ, છતાં, અવલંબે છે અન્ય પર. પોતાના જ નિર્વાહ કાજ, આધારિત છે અન્ય પર. જો કરીએ કરુણા ભાવથી તેની મદદ, તો મદદ બને છે મોટુ નુકસાન.         આપણે ત્યાં કહેવત છે ને કે માથે પડે એટલે બધું આવડી જાય,તે ખરેખર સાચી વાત છે.સગવડતાભર્યા દિવસોમાં માનવી પોતાની જાતને પુરી રીતે કામે લગાડી શકતો નથી.પોતાના પર જયારે આવે, મુશ્કેલી જયારે સર્જાય ત્યારે ક્યારેય ના કરેલું હોય તેવું કાર્ય સંપૂર્ણ રીતે સફળતાથી પાર પડતું હોય છે. તો પછી સગવડતાના સંજોગોમાં કાર્યક્ષમતા હતી છતાં કેમ અધૂરપ રહી? કેમકે, તે કાર્યક્ષમતા સુષુપ્ત અવસ્થામાં હતી. તેને ક્યારેય જગાડવાનો પ્રયત્ન જ ના કર્યો. માથે મુશ્કેલી આવે ત્યારે જ પોતાની સાચી શક્તિનો માનવીને પરિચય થતો હોય છે. તેને ક્યારેય પોતાની જાતને આરામદાયક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન જ ના કર્યો હોય. પોતાની જાતને ઢંઢોળીએ નહીં તો તેમાંથી કશું જ બહાર નીકળી નથી શકતું. જેટલું પોતાની જાત પાસેથી કાર્ય લેશું તેટલી જ વધારે કાર્યક્ષમતા વિકસે છે.          માનવીનો મોટામાં મોટો શત્રુ તેની પોતાની આળસ જ છે.અમુક અપવાદ બાદ કરતા પોતાનું કાર્ય પોતે કરી શકે એટલી કાર્યક્ષમતા ઈશ્વરે

At the end of life there should be contentment, not repentance

Image
 વિતિ ગયું આયખું આળસમાં ને, રહી ગયા અધૂરા અરમાન. કાલ પર કાર્ય મુલતવી રાખ્યું ને, આવી નહિં કાલ ક્યારેય. ભૂતકાળના ભાર તળે રહ્યો દબાયેલો ને, ગુમાવી રોજ નવા સૂર્યોદયની અનેક તક. આપી તાલિમ કર મનને જાગ્રત ને, ઉદાર જીવનદાતાના દાનને ઉજાળ. કહેવાય છે ને કે જે છે તે અત્યારે જ છે, તમારી અંદર જ છે. બીજે ક્યાંય નથી. માણસને કોઈ કાર્ય કરવું હોય અને જો તે ખરા હૃદયથી તે કરવા ઈચ્છતો હોય તો તે થઈને જ રહે છે. પણ, મોટા ભાગના લોકો કાર્યના ફક્ત વિચારો કરે છે, સપનાઓ જોવે છે અને અત્યારનું કાર્ય ભવિષ્ય પર મુલતવી રાખે છે. એટલે કાર્ય કરવાની ઈચ્છાઓનું પાત્ર ભરાતું જાય છે અને આળસ ને આળસમાં  ઈચ્છીત કાર્યનું અમલીકરણ આજ ને આવતીકાલના વાયદાઓમાં હિલોળે ચડીને અંતે અશક્ય બની જાય છે.         સૂર્યદેવ રોજ પોતાની સાથે તાજી સોનેરી અઢળક ક્ષણો લાવે છે. તાજગીનો અહેસાસ પોતાના શ્વાસ અને શરીરમાં ભરીને ધારેલા કાર્યને પૂરું કરવાની અનેક તકોને માણસ આવતીકાલના ખ્યાલી દુનિયાના વ્હેમને કારણે ગુમાવતો જાય છે અને એ ભ્રમની દુનિયા ક્યારેય અસ્તિત્વ પામતી જ નથી. આવી રીતે ઈશ્વરે આપેલ અનેક તકોનો લાભ પોતાની આળસ અને બેદરકારીમાં ગુમાવીને અંત સુધી પસ્તાવા