Posts

Showing posts from September, 2024

Express ur feelings with politely when something goes wrong

Image
  અંદર ઉછાળા મારતી લાગણીઓને-વિચારોને ક્યારેક સંવાદ દ્વારા વ્યક્ત કરી દેવા જોઈએ, એ લાગણીઓ ઉછળીને બહાર આવે એના કરતા વહીને બહાર આવે એ વધારે ઉચિત રહે છે. સમયાંતરે યોગ્ય દિશામાં વહેતી ગતિ નુકશાન નથી કરતી, પણ, એકસામટું સચવાયેલું ક્યારેક તો બહાર આવશે જ, એ નક્કી છે, એકસાથે બહાર આવતું વહેણ જ્વાળામુખીના રૂપે આવી વિનાશ વેરી જતું હોય છે. ઘાનો પ્રત્યાઘાત પણ હોય જ છે. આ નિયમ વસ્તુ અને વ્યક્તિ બંનેમાં લાગુ પડે છે. ક્રિયાની જયારે પ્રતિક્રિયા કોઈ પણ રૂપે ના અપાતી હોય તો સમજવુ કે ક્યારેક તો પ્રતિક્રિયા આપશે જ. જયારે કોઈ વ્યક્તિના સપનાઓ, મહત્વકાંક્ષાઓ, ઈચ્છાઓ જવાબદારીના બોજ તળે લાંબા સમય સુધી દબાયેલા રહે, તો અંદર ક્યાંક ને ક્યાંક ઘવાતું હોય છે. અંદર વિસ્તૃત થતો જતો ઘા બહાર આવે ત્યારે અજાણપણે બીજાને પીડા આપી જતો હોય છે. માટે જવાબદારીમાંથી થોડો-થોડો સમય પોતાના માટે કાઢીએ તો વાઘેલા ઘાને રૂઝ મળવાની સાથે જાત પણ વિસ્તૃત થતી જશે. આમાં સ્વાર્થી બન્યા વગર, ફરજોને પ્રાથમિકતા આપીને થોડું-થોડું અંદર ઉઠતા અવાજને સાંભળતા રહેશું તો મોટા કોલાહલથી બચી જવાની સાથે જિંદગી પણ ઉજવવા જેવી લાગશે. મોટાભાગના લોકોમાં સાચાને સાચું

People judge our personality not by what we say but by what we do

Image
  માણસની માણસાઈ તેની મોટી-મોટી વાતોથી નહીં પણ, નાની-નાની ઘટનાઓમાં થતું વર્તન અને નાની-નાની વાતોમાં અપાતી પ્રતિક્રિયા દ્વારા નક્કી થાય છે. મોટાભાગે આપણને સૌને સલાહ આપવી ગમે છે, પણ લેવી ગમતી નથી. બધા જ જાણે છે કે શું કરવું જોઈએ અને શું નહીં, છતાં, પોતાના વ્યક્તિગત વિકાસમાં, સંબંધોમાં જે કરવાનું છે તે નથી થતું અને જે નથી કરવાનું તે થાય છે. સૌથી મોટો અવરોધ અનુશાસન એટલે કે પોતાના પર સાચી દિશામાં શાસન કરવાનો છે. બહારનું ભોજન સ્વાસ્થ્ય માટે સારૂ નથી તે જાણવા છતાં થોડી વારની મજા માટે વારંવાર આરોગ્ય જોખમમાં મુકીએ છીએ, રાતના ઉજાગરાથી દિવસભર બેચેની અનુભવાશે તે જાણવા છતાં પણ ડિજિટલ દુનિયામાં ખોવાયેલા રહીએ છીએ, આપણે જાણીએ છીએ કે આળસથી આવતીકાલ ક્યારેય આવતી જ નથી, છતાં આજનું કામ આવતીકાલ પર ઠાલવતા રહીએ છીએ, અહીંનું કરેલું અહીં જ મળવાનું છે જાણવા છતાં થોડા સમયના લાભ માટે ખોટું કરતા અચકાતા નથી.  આપણે બોલતા હોય કાંઈ બીજું અને આપણું આચરણ અંદરખાનેથી હોય કાંઈ બીજું, તો એ મોટી વાતોથી દુનિયા ફક્ત થોડા સમય માટે જ પ્રભાવિત થઈ શકશે. પણ, આપણે રોજિંદા વ્યવહારમાં આપણને મળતા દરેક વ્યક્તિને તેના પદ કે હોદ્દાને ધ્યાનમ