Posts

Showing posts from February, 2025

Truth and Transparency are most essential tools to achieve success in personal, professional and spritual life.

Image
સ્વાર્થ ને દેખાડો હોય, ત્યાં સત્ય ને પારદર્શિતાની અપેક્ષા ખોટી છે. લાગણીઓ સાથે રમત જેનો સ્વભાવ, ત્યાં વિશ્વાસની અપેક્ષા ખોટી છે. અસત્ય ને છળ જ જેની પાત્રતા,   ત્યાં આત્મીયતાની અપેક્ષા ખોટી છે. જેઓ હું પદ ધરાવતા હોય, જ્યાં બીજાને પ્રભાવિત કરી દેવાની ભાવના હોય, તેઓ થોડા સમયના ફાયદા માટે ખોટુ બોલતા કે ખોટું કરતા અચકાતા નથી. તેઓ સાચું શું છે તે નથી જોતા, બીજા લોકો પ્રભાવિત કઈ રીતે થાય છે અને તેની વાહવાહી કઈ રીતે થાય છે તે જ જુએ છે. આવા સ્વાર્થી જીવોને જેવા છીએ તેવા રજૂ થવામાં તકલીફ પડે છે ને દંભનો પડદો રાખીને ફરતા આવા લોકો દેખાડાને જ સર્વસ્વ માને છે. તેઓ સારા બનવામાં નહીં સારા બનવાના દેખાડો કરવામાં માહેર હોય છે. તેમને સત્ય જોડે તો જોજનો દુરનો સબંધ હોય છે. કોઈ એક વ્યક્તિ અંધ બનીને બીજા પર વિશ્વાસ કરતી હોય, તો બીજા વ્યક્તિની ફરજ છે કે એ વિશ્વાસને જીવના ભોગે પણ અકબંધ રાખે. પણ, જેમને લાગણીઓ સાથે રમવું હોય તેઓને મન વિશ્વાસની કોઈ જ કિંમત નથી. કોઈની પીઠ પાછળ છરા ભોંકવા જેવું ખરાબ કામ જ તેનો સ્વભાવ હોય તેને મન છળકપટ સામાન્ય વાત હોય છે. કોઈ વ્યક્તિ અંધ વિશ્વાસ કરતી હોય તો એના હૃદયની લાગણીઓ ...

Those who are responsible and wise are God's beloved children.

Image
  લોકો સમય, સ્થિતિ ને સંજોગ જોઈને વર્તતા હોય છે. જ્યાં પ્રતિકાર થવાનો ના હોય, ત્યાં લોકો કાર્યના કદરની વાત તો દૂર રહી, પણ, સતત અસંતોષના ભાવથી ફરિયાદો, અપમાન કે ભેદભાવ કરતા અચકાતા નથી. જ્યાં જાણે છે કે મારું કશું ચાલવાનું નથી, ત્યાં તેમની કદર થતી ના હોવા છતાં, પ્રાણ પાથરવા તૈયાર થઈ જતા હોય છે. જે પોતે અંદર અસંતોષથી ભરેલા છે, તેને કોઈ જ ખુશ કરી શકતું નથી. ઉલટું, તેની વારંવારની ફરિયાદો ને ઉદ્ધાતાઈ ભરેલા વર્તનથી બીજાને દુઃખ પહોંચાડ્યા કરે છે. તેને પ્રાણ પાથરી દીધા હોય, તો પણ ઓછું જ લાગે! આ પ્રકારના લોકોમાં તમારા કાર્યની કદર તો દૂરની વાત રહી, પણ, તમારા દ્વારા જે કાંઈ પણ કરવામાં આવે તે ઓછું જ લાગે. કેમકે, તે પોતે જ સંતોષી નથી. તેનો અસંતોષ તેમને જંપવા ના દે અને એનું વર્તન બીજાનું દિલ દુભાવતું રહે. તેઓ પોતાનો રોષ ત્યાં જ ઠાલવતા હોય છે, જ્યાં કોઈ પ્રતિકારની સંભાવના નથી. જ્યાં તે જાણે છે કે, "મને મારા શબ્દો વ્યાજ સહિત પાછા મળવાના છે." ત્યાં તેઓ સંભાળીને ચાલે છે. જ્યાં તેમનો પ્રતિકાર થવાનો છે ત્યાં તેમના શબ્દો ત્રાજવામાં તોલાઈ જતા હોય છે. પોતે અસંતોષી છે, ઘણી બધી ફરિયાદો છે, છતાં, ચૂ...