Posts

Showing posts from March, 2021

The great man who is rich from huminity not wealth.

Image
છે જે ધનથી અમીર ને, નથી નિભાવી માનવતા, કહેવાય તે મોટા માણસ. છે જે ધનથી ગરીબ ને, નિભાવ્યો માનવધર્મ, કહેવાય તે નાના માણસ. માણસની માણસાઈ મોટી નથી અહીંયા, છે મોટી નામના માણસાઈથી ગરીબ ધનિકોની.               ઘણી વખત એવું સાંભળવા મળે છે કે આ બહુ મોટા માણસો છે ને તે તો બહુ નાના માણસો છે. લોકો ક્યા અર્થમાં મોટા અને નાના માણસોનો ભેદ કરે છે તે સમજાતું નથી. મોટાભાગે લોકો ધન અને વૈભવની દ્રષ્ટિએ મોટા અને નાના માણસોનો ભેદ કરે છે, તેમાં જીવી રહેલી માણસાઈના આધારે નહીં.               તેને એક વાત પરથી યોગ્ય રીતે સમજી શકાશે.એક વૃદ્ધ દંપતી રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. અચાનક વૃદ્ધ પુરુષને છાતીમાં દુખાવો થવા લાગ્યો. વૃદ્ધ સ્ત્રીએ થોડે આગળ એક વૃક્ષ નીચે પોતાના પતિને બેસાડી પસાર થતા વાહનોને રોકી મદદ માંગવા નીકળી. રસ્તા પરથી પસાર થતી મોટી ગાડીઓમાં બેઠેલા લોકો વૃદ્વ દંપતીની લાચારી જોઈ ના જોઈ કરી આગળ નીકળી ગયા, કોઈ તેમને જોઈને ઉભા રહ્યા પણ મદદ માટે તૈયાર ના થયા. વૃદ્ધની તકલીફ વધતી જતી હતી ને લાચાર બનીને તેની પત્ની રસ્તાની વચ્ચે ઉભી રહી મદદની ભીખ માંગતી રહી. નિરાશ થયેલી તે સ્ત્રીને આખરે એક આશાનું કિરણ દેખાયું.

The battle of life in the will of the mind and heart

Image
 હૃદય સહી રહ્યું હતું દુઃખ અપાર, પડી રહી હતી જયારે સંબંધમાં અદ્રશ્ય તિરાડ. હૃદય સહી ના શક્યું વધારે પીડાનો બોજ, ભાવશૂન્ય બનેલા હૃદયોથી સંબંધોમાં સર્જાઈ મોટી ખાઈ  હૃદય જંખતું રહ્યું લાગણી અને સ્નેહ, મગજ ઇચ્છતું રહ્યું પ્રસિદ્ધિ, પૈસા ને ભૌતિક સુખ. હૃદય અને મગજની ચાહમાં જિંદગી લડતી રહી લડાઈ, પૂરી થઈ મગજની ખ્વાહિશ ને હારી ગઈ જિંદગી.           યંત્રવત બનેલા માનવીમાં એક નાનકડું હૃદય જ સતત લાગણીનો સંચાર કરતુ રહે છે. હૃદયના ઉંડાણમાંથી જન્મતી લાગણી જ માણસને એક યંત્ર બનતા રોકે છે. બાકી આજના માણસ અને યંત્રમાં શું ભેદ રહ્યો છે? નાનકડું હૃદય જ બધી લાગણીઓનુ જન્મસ્થાન છે. સુખ, દુઃખ, ખુશી, નિરાશા, ઉત્સાહ, પ્રેમ, કરુણા, દયા બધી જ સંવેદનાઓ હૃદયમાંથી ઉદ્દભવે છે.             દૈનિક અખબારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે વાંચીએ કે રસ્તાઓ પર ભણવાની ઉંમરે નાના બાળકોને ભીખ માંગતા જોઈએ કે રેસ્ટોરન્ટમાં આપણી ડીશમાં કોઈ છોટુને પીરસતા જોવું એ આપણા માટે સામાન્ય બની ગયું છે. ખરેખર આ બધી ઘટનાઓ વિશે દિલથી વિચારીએ તો થાય કે આપણી સંવેદનાઓ ઓછી થઈ ગઈ છે કાં તો મરી ગઈ છે.                આધુનિક સમયમાં માનવીના નિકટના સંબંધો પણ જા

The Difference between Ego and Self-esteem.

Image
 સળગી રહ્યું છે મારી અંદર કંઈક, જે બાળે છે પોતાની સાથે જગતને. પ્રજવલ્લિત થઈ રહ્યું છે મારી અંદર કંઈક, જે પ્રદીપ્ત કરે છે જાતની સાથે જગતને. સળગું છું હું મારા અહંકારથી, પ્રજવલ્લિત થાઉં છું હું મારા સ્વાભિમાનથી. હું જ એક શ્રેષ્ઠ તે મારો અહંકાર, હું પણ શ્રેષ્ઠ તે મારો આત્મવિશ્વાસ.              ઈશ્વરે દરેક મનુષ્યનું સર્જન કમી -ખૂબીના સંયોજનથી કરેલું છે. ઈશ્વrદત્ત ખૂબીને જો તે અહંકારની દ્રષ્ટિએ જોશે તો, તે ખૂબી વધારે સમય ટકતી નથી. અહંકારી માણસ અંદરથી ખોખલો થઈ જાય છે. તે હંમેશા સ્વકેન્દ્રી વિચારોમા જ ખોવાયેલો રહે છે. તેની નજર બીજાની શ્રેષ્ઠતા જોઈ શકતી નથી.બીજાને પોતાના કરતા આગળ જતા જોઈને તેને નીચે પાડવાના વિચારોમા રહેવા લાગે છે. તે ઈશ્વરદત્ત આવડતનો ઉપયોગ કરીને તેને વધારવાને બદલે બીજા શા માટે તેનાથી આગળ નીકળી ગયા તેના વિચારોમા રહીને જાતને તો બાળે છે, સાથે -સાથે પોતાના કરતા શ્રેષ્ઠને નીચે પાડવાના પ્રયત્નોથી બીજાને નુકસાન પણ પહોંચાડે છે.                    જયારે વ્યક્તિને પોતાના કાર્યની કદર ના થઈ હોય કે અપેક્ષિત વળતર કે માન-સન્માન ના મળ્યું હોય ત્યારે તે અભિમાની બને છે. તેને પોતાના સમકક્ષ વ્યક્