Posts

Showing posts from July, 2025

The pain we experience does not reach others, such feelings and actions become immortal.

Image
  મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમેં વેઠ્યા, તે બીજા પણ વેઠે, તો તેમને ખ્યાલ આવશે, કે અમેં કેટલો સંઘર્ષ કર્યો." જયારે અમુક લોકોના કાર્ય એવા હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમે સહન કર્યા, તે બીજાએ ના કરવા પડે." તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહીને પોતે ભલે તાપ વેઠ્યો, પણ, બીજા માટે છાંયડાની ટાઢક પાથરતા જાય છે. બીજાને પીડા ના થાય અથવા પીડા પર મલમ લગાવી રાહત આપવાના કાર્ય કરતા અમુક લોકોના જીવને ભલે પીડા વેઠી, પણ, બીજાના જીવનને સુધારી, તેમની યાદોની, કર્મની મીઠી સુવાસમાં સદા  જીવતા હોય છે.  મેં સહન કર્યુ,  એટલે બીજાને પણ તે કષ્ટ પડવા જ જોઈએ. તેવું ભાવ જગત જીવનને, અંતે આત્માને દુર્ગતિ તરફ લઈ જાય છે.  મેં સહન કર્યુ,  હવે એવું બીજા સાથે ના થાય,  તેવી લાગણીઓ અને કાર્યો, ભલે જીવનમાં કષ્ટ ભોગવ્યા હોય,  પણ, અંતે જીવન અને આત્મા સદ્દગતિ પામે છે. ધ્રુવ દાદાની નવલકથા "કર્ણલોક"માં દુર્ગા નામના પાત્રનું ખૂબ સરસ આલેખન કર્યુ છે. અનાથઆશ્રમમાં ઉછરેલી બાળાને મોટી થાય, ત્યાં સુધી કોઈ દત્તક લઈ જતું નથી. કેમકે, તે કચરાના ઢગલા પરથી કુતરાઓ ઢસડીને લઈ જતા...

Do not fulfill responsibilities at the cost of self respect.

Image
જીવનમાં બને ત્યાં સુધી જતું કરવું, સંઘર્ષ કરવો. પણ, આત્મસન્માનના ભોગે નહીં. આત્મસન્માનથી વિશેષ મૂલ્યવાન કશું જ નથી. કોઈનું હિત થાય, તેના મુશ્કેલીના સમયમાં હું પણું દાખવ્યા વગર સંપૂર્ણ સાથ આપીએ, ત્યાં સુધી કે, અમુક બાબતોનો તેને ખ્યાલ પણ ના આવવા દઈએ ને જાતને અગવડતા આપીને તેમને સગવડતા આપીએ. આ બધું તમને મળશે એવી ભાવનાથી જો કાર્ય કરતા હોય, તો ના કરવું. કેમકે, તે તો સ્વાર્થની ભાવનાથી થયું કહેવાય. કરેલા કાર્યની નોંધ ના લેવાય, તો કાંઈ નહીં. કેમકે, ઈશ્વરે તમને શક્તિ અને સમજ આપ્યા છે, એટલા માટે તમે કરી શક્યા. જો, શક્તિ અને સમજ હોવા છતાં, તમે અન્યનું કાંઈ ના કરી શકો, તો, તમે ઈશ્વરના જ ઋણી બની રેહશો. પણ, જેમનું હિતકારી ઈચ્છવા અને કરવા છતાં, જો, તમારી ઉપસ્થિતિની અવગણના કરવામાં આવે, તો ત્યાંથી અટકી જવા માટે ઈશ્વર પણ આપણને દોષિત ના ઠેરવી શકે. જો તમે અટકશો, તો જ તેમને તમારી ઉપસ્થિતિનો તો ખ્યાલ આવશે, સાથે-સાથે તેમની જવાબદારીઓ શું છે, તે સમજી શકશે. સતત સગવડતાઓ અંદરથી ખોખલા બનાવે છે. તમારા અન્ય માટેના કાર્ય માટે અટકી જવાથી, કદાચ તેમના માટે ખરા અર્થમાં હિતકારી પણ હોય શકે. પોતે પોતાનું કાર્ય જાતે કરતા ...

આપણી ભાષા આપણી ઓળખ છે.

Image
 પ્રભાવિત થાય છે પરભાષાથી ને, નાનપ અનુભવે છે  ગર્ભનાળની જ ભાષાથી. શીખો દુનિયાની દરેક ભાષા ને બોલી પણ, વિષયનું મુળ જ્ઞાન મેળવો લોહીમાં વહેતી ભાષાથી. આપો સન્માન સઘળી ભાષાને પણ, ગર્વથી બોલો ગરવી ગુજરાતીને. હું ગુજરાતી છું, એટલે મને ગુજરાતીપણા પર નાનપ નહીં, પણ ગર્વ છે. બીજી ભાષાઓ અને ખાસ કરીને જેને સન્માન આપીએ અને ઉચ્ચ ગણાતી ભાષા એટલે અંગ્રેજી પ્રત્યે માન છે, પણ, તેને જ સર્વસ્વ માની લેવું અને આપણું મૂળ છે તેને અવગણવું તે ખોટુ છે. અત્યારે ઘણા સમયથી એક જ સિસ્ટમને આપણે ફોલો કરી રહ્યા છીએ. બાળકોને નાનપણથી આપણા મૂળ એટલે સંસ્કારો, પરંપરા અને આપણી ભાષાથી દૂર કરી રહ્યા છીએ. તેવું કરવામાં આપણે ઉચ્ચ કક્ષાની ભાવના અનુભવીએ છીએ. ઘણા માતા-પિતાને આવડતું ના હોય, પણ, પોતાના સંતાનના સુરક્ષિત ભવિષ્ય માટે ક્ષમતા બહારનો ખર્ચો કરી અથવા દેખાદેખી કરીને બાળકને એક રેસનો ઘોડો બનાવી દે છે. તેમાં સૌથી વધારે બાળકનું જ નુકશાન છે. જે બાળકના ઘરનું વાતાવરણ બીજું હોય અને તે ભણતું બીજી ભાષામાં હોય તેને આપણે જાણ બહાર બે ઘોડા પર સવારી કરાવતા હોઈએ છીએ. તે કાં તો પડે છે, કાં તો પોતાનું જ નુકશાન કરે છે. જે માતા-પિતા પોતા...