Posts

Giving Time our kids is an investment. It gives return now as well as future.

Image
ભગવાનની  કૃપાથી આંગણે ખીલ્યું કુમણું પુષ્પ, ઉગ્યું ત્યારે જોઈને થઈ ખૂબ ખુશી, પણ, ઉગેલું પુષ્પ કાંઈ એમનેમ નથી ઉછરતું, પાણીની સાથે પ્રેમ આપીએ, ખાતરની સાથે સંભાળ રાખીએ, પોષણની સાથે સ્નેહ આપીએ, સૂર્ય પ્રકાશની સાથે સ્પર્શ આપીએ, નીંદણની સાથે તેને ભરપૂર વ્હાલથી નીરખીએ, ને સાથે-સાથે આપણે શ્રદ્ધા દાખવીએ, તો પુષ્પ ખીલવાની સાથે મહેકી ઉઠશે. આખા દિવસના ચોવીસ કલાકમાંથી પોતાના સંતાન માટે ફક્ત અડધી કલાક ગુણવત્તાસભર કાઢી ના શકતા માતા-પિતાને સંતાન પાસેથી નાનપણથી જ બહુ બધી અપેક્ષાઓ બંધાયેલી રહે છે. બાળકોને કહેવા કરતા આપણું કરેલું વધારે સમજાય છે. અત્યારના બીઝી માતા-પિતાને બાળક કેવી રીતે વ્યસ્ત રહે એમાં જ રસ છે. પણ, તંદુરસ્ત ચર્ચા કરવામાં નથી. બાળકો સાથે વાત કરીએ, તો, તેઓનો આત્મવિશ્વાસ વધે છે. તેની અંદર કેવા પ્રકારની રુચિ છે, તે જાણી શકાય છે. બાળકને વ્યસ્ત રાખવા કરતા તેની સર્જન શક્તિ ખીલવીએ. આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પણ થોડી વાતચીત, થોડી રમત, થોડી મસ્તી તો કરી જ શકીએ છીએ. બાળકને તમારી પાસેથી આનાથી વધારે અપેક્ષાઓ પણ નથી. પણ, મોટા ભાગના માતા-પિતા કામકાજ ઉપરાંત મોબાઈલમાં નુકશાનકારક બિન જરૂરી સ...

Every pain has cure

Image
  જીવનમાં જયારે કુદરતી રીતે પીડા મળે, ત્યારે તેનો મલમ સમય હોય છે. જયારે સામેથી નોતરેલી પીડા મળે, ત્યારે તેનો મલમ પસ્તાવો અને જાતસુધાર હોય છે. જયારે અન્ય દ્વારા પીડા મળે, ત્યારે તેનો મલમ સમજદારી હોય છે. જીવનમાં દુઃખનું હોવું સ્વાભાવિક છે, પણ, તે દુઃખનું કેવી રીતે સંચાલન કરવું, તે માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. દુઃખને શ્વાસો પર હાવિ થવા દેવું કે દુઃખ સામે લડવું,  તે પણ માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. જયારે કુદરતી રીતે પીડા મળે, એટલે કે, આપણા હાથમાં કશું ના હોય અને અચાનક જ એવી ઘટનાઓ બને કે જેમાં આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય ને દિવસ-રાત કાઢવા અઘરા થઈ પડે, ત્યારે એ દુઃખને વહી જવા દેવું, વ્યક્ત થઈ જવા દેવું. ધીરજ રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખવી કે જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે, તેમાં તેને મારા જીવનની યોજના આ પ્રમાણે બનાવી હશે. ઈશ્વરને સમર્પિત જીવન પીડા ઓછી કરે છે. આ પીડાનો મલમ સમય છે. જેમ સમય પસાર થઈ જાય છે, તેમ પીડાનો સ્વીકાર થઈ જાય છે, સત્યનો, પરમતત્વની મરજીનો સ્વીકાર થઈ જાય છે.  જીવનમાં ક્યારેક જાણતા કે અજાણતા આપણાથી થયેલી ભૂલની સજા મળે, ત્યારે થતી પીડાનો મલમ જાતનો સુધાર કરીને...

There is no power in any situation that can defeat you to live beautiful life. 🙂🙂

Image
  જીવનમાં બધુ જ બધાને ક્યારેય નથી મળતું. બીજાની સરખામણી કરશું, તો સતત અધૂરપ જ અનુભવાશે. ક્યારેક ઈચ્છા કે અરમાનો પણ અધૂરા રહી જતા હોય છે, ક્યારેક ખૂબ મહેનત કરી હોય છતાં, ધાર્યું પરિણામ નથી મળતું હોતું. ક્યારેક જેના પર સર્વસ્વ અર્પયું હોય, તે સમજી ના શકે અથવા અવગણના કરે. ત્યારે માણસને એક પ્રકારનો માનસિક થાક અનુભવાતો હોય છે. આવી રીતે જયારે થાકી જવાય, ત્યારે હારી જવાને બદલે થોડો સમય વિરામ લેવો. નથી મળ્યું તેની ફરિયાદ છોડી, જે છે તેને સ્વીકારી લઈશુ, કોઈ પણ જાતની અપેક્ષાઓ બાંધ્યા વગર પોતાના અસ્તિત્વને ઉજવશું, તો એક નવી ઉર્જા મળશે. આ નવી ઉર્જા મેળવવાની આવડત જીંદગી સામે જીતવાનું શીખવે છે. કોઈ પાસે રૂપ હોય, તો કોઈ પાસે સંપત્તિ હોય, કોઈ પાસે આવડત હોય, તો કોઈ પાસે હોદ્દો હોય, કોઈ પાસે હૃદયની લાગણીઓને સમજનાર વ્યક્તિ હોય, તો કોઈ લોકોના ટોળા વચ્ચે રહીને પણ અંદરથી એકલતા અનુભવતા હોય, અને આ સિવાય બીજું ઘણુ બધું હોય શકે. ટૂંકમાં, બધું બધાને ક્યારેય નથી મળતું. જે મળ્યું છે, તેમાં અનુકૂલન સાધવાની કળા આવડી જાય, એટલે માણસ સુખી. બાકી દુઃખી રહેવાના કારણોની ક્યાં ઓછપ છે?  માણસ પાસે જે હોય તે તેન...

The pain we experience does not reach others, such feelings and actions become immortal.

Image
  મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમેં વેઠ્યા, તે બીજા પણ વેઠે, તો તેમને ખ્યાલ આવશે, કે અમેં કેટલો સંઘર્ષ કર્યો." જયારે અમુક લોકોના કાર્ય એવા હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમે સહન કર્યા, તે બીજાએ ના કરવા પડે." તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહીને પોતે ભલે તાપ વેઠ્યો, પણ, બીજા માટે છાંયડાની ટાઢક પાથરતા જાય છે. બીજાને પીડા ના થાય અથવા પીડા પર મલમ લગાવી રાહત આપવાના કાર્ય કરતા અમુક લોકોના જીવને ભલે પીડા વેઠી, પણ, બીજાના જીવનને સુધારી, તેમની યાદોની, કર્મની મીઠી સુવાસમાં સદા  જીવતા હોય છે.  મેં સહન કર્યુ,  એટલે બીજાને પણ તે કષ્ટ પડવા જ જોઈએ. તેવું ભાવ જગત જીવનને, અંતે આત્માને દુર્ગતિ તરફ લઈ જાય છે.  મેં સહન કર્યુ,  હવે એવું બીજા સાથે ના થાય,  તેવી લાગણીઓ અને કાર્યો, ભલે જીવનમાં કષ્ટ ભોગવ્યા હોય,  પણ, અંતે જીવન અને આત્મા સદ્દગતિ પામે છે. ધ્રુવ દાદાની નવલકથા "કર્ણલોક"માં દુર્ગા નામના પાત્રનું ખૂબ સરસ આલેખન કર્યુ છે. અનાથઆશ્રમમાં ઉછરેલી બાળાને મોટી થાય, ત્યાં સુધી કોઈ દત્તક લઈ જતું નથી. કેમકે, તે કચરાના ઢગલા પરથી કુતરાઓ ઢસડીને લઈ જતા...

Do not fulfill responsibilities at the cost of self respect.

Image
જીવનમાં બને ત્યાં સુધી જતું કરવું, સંઘર્ષ કરવો. પણ, આત્મસન્માનના ભોગે નહીં. આત્મસન્માનથી વિશેષ મૂલ્યવાન કશું જ નથી. કોઈનું હિત થાય, તેના મુશ્કેલીના સમયમાં હું પણું દાખવ્યા વગર સંપૂર્ણ સાથ આપીએ, ત્યાં સુધી કે, અમુક બાબતોનો તેને ખ્યાલ પણ ના આવવા દઈએ ને જાતને અગવડતા આપીને તેમને સગવડતા આપીએ. આ બધું તમને મળશે એવી ભાવનાથી જો કાર્ય કરતા હોય, તો ના કરવું. કેમકે, તે તો સ્વાર્થની ભાવનાથી થયું કહેવાય. કરેલા કાર્યની નોંધ ના લેવાય, તો કાંઈ નહીં. કેમકે, ઈશ્વરે તમને શક્તિ અને સમજ આપ્યા છે, એટલા માટે તમે કરી શક્યા. જો, શક્તિ અને સમજ હોવા છતાં, તમે અન્યનું કાંઈ ના કરી શકો, તો, તમે ઈશ્વરના જ ઋણી બની રેહશો. પણ, જેમનું હિતકારી ઈચ્છવા અને કરવા છતાં, જો, તમારી ઉપસ્થિતિની અવગણના કરવામાં આવે, તો ત્યાંથી અટકી જવા માટે ઈશ્વર પણ આપણને દોષિત ના ઠેરવી શકે. જો તમે અટકશો, તો જ તેમને તમારી ઉપસ્થિતિનો તો ખ્યાલ આવશે, સાથે-સાથે તેમની જવાબદારીઓ શું છે, તે સમજી શકશે. સતત સગવડતાઓ અંદરથી ખોખલા બનાવે છે. તમારા અન્ય માટેના કાર્ય માટે અટકી જવાથી, કદાચ તેમના માટે ખરા અર્થમાં હિતકારી પણ હોય શકે. પોતે પોતાનું કાર્ય જાતે કરતા ...

આપણી ભાષા આપણી ઓળખ છે.

Image
 પ્રભાવિત થાય છે પરભાષાથી ને, નાનપ અનુભવે છે  ગર્ભનાળની જ ભાષાથી. શીખો દુનિયાની દરેક ભાષા ને બોલી પણ, વિષયનું મુળ જ્ઞાન મેળવો લોહીમાં વહેતી ભાષાથી. આપો સન્માન સઘળી ભાષાને પણ, ગર્વથી બોલો ગરવી ગુજરાતીને. હું ગુજરાતી છું, એટલે મને ગુજરાતીપણા પર નાનપ નહીં, પણ ગર્વ છે. બીજી ભાષાઓ અને ખાસ કરીને જેને સન્માન આપીએ અને ઉચ્ચ ગણાતી ભાષા એટલે અંગ્રેજી પ્રત્યે માન છે, પણ, તેને જ સર્વસ્વ માની લેવું અને આપણું મૂળ છે તેને અવગણવું તે ખોટુ છે. અત્યારે ઘણા સમયથી એક જ સિસ્ટમને આપણે ફોલો કરી રહ્યા છીએ. બાળકોને નાનપણથી આપણા મૂળ એટલે સંસ્કારો, પરંપરા અને આપણી ભાષાથી દૂર કરી રહ્યા છીએ. તેવું કરવામાં આપણે ઉચ્ચ કક્ષાની ભાવના અનુભવીએ છીએ. ઘણા માતા-પિતાને આવડતું ના હોય, પણ, પોતાના સંતાનના સુરક્ષિત ભવિષ્ય માટે ક્ષમતા બહારનો ખર્ચો કરી અથવા દેખાદેખી કરીને બાળકને એક રેસનો ઘોડો બનાવી દે છે. તેમાં સૌથી વધારે બાળકનું જ નુકશાન છે. જે બાળકના ઘરનું વાતાવરણ બીજું હોય અને તે ભણતું બીજી ભાષામાં હોય તેને આપણે જાણ બહાર બે ઘોડા પર સવારી કરાવતા હોઈએ છીએ. તે કાં તો પડે છે, કાં તો પોતાનું જ નુકશાન કરે છે. જે માતા-પિતા પોતા...

Truth and Transparency are most essential tools to achieve success in personal, professional and spritual life.

Image
સ્વાર્થ ને દેખાડો હોય, ત્યાં સત્ય ને પારદર્શિતાની અપેક્ષા ખોટી છે. લાગણીઓ સાથે રમત જેનો સ્વભાવ, ત્યાં વિશ્વાસની અપેક્ષા ખોટી છે. અસત્ય ને છળ જ જેની પાત્રતા,   ત્યાં આત્મીયતાની અપેક્ષા ખોટી છે. જેઓ હું પદ ધરાવતા હોય, જ્યાં બીજાને પ્રભાવિત કરી દેવાની ભાવના હોય, તેઓ થોડા સમયના ફાયદા માટે ખોટુ બોલતા કે ખોટું કરતા અચકાતા નથી. તેઓ સાચું શું છે તે નથી જોતા, બીજા લોકો પ્રભાવિત કઈ રીતે થાય છે અને તેની વાહવાહી કઈ રીતે થાય છે તે જ જુએ છે. આવા સ્વાર્થી જીવોને જેવા છીએ તેવા રજૂ થવામાં તકલીફ પડે છે ને દંભનો પડદો રાખીને ફરતા આવા લોકો દેખાડાને જ સર્વસ્વ માને છે. તેઓ સારા બનવામાં નહીં સારા બનવાના દેખાડો કરવામાં માહેર હોય છે. તેમને સત્ય જોડે તો જોજનો દુરનો સબંધ હોય છે. કોઈ એક વ્યક્તિ અંધ બનીને બીજા પર વિશ્વાસ કરતી હોય, તો બીજા વ્યક્તિની ફરજ છે કે એ વિશ્વાસને જીવના ભોગે પણ અકબંધ રાખે. પણ, જેમને લાગણીઓ સાથે રમવું હોય તેઓને મન વિશ્વાસની કોઈ જ કિંમત નથી. કોઈની પીઠ પાછળ છરા ભોંકવા જેવું ખરાબ કામ જ તેનો સ્વભાવ હોય તેને મન છળકપટ સામાન્ય વાત હોય છે. કોઈ વ્યક્તિ અંધ વિશ્વાસ કરતી હોય તો એના હૃદયની લાગણીઓ ...