The pain we experience does not reach others, such feelings and actions become immortal.

મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમેં વેઠ્યા, તે બીજા પણ વેઠે, તો તેમને ખ્યાલ આવશે, કે અમેં કેટલો સંઘર્ષ કર્યો." જયારે અમુક લોકોના કાર્ય એવા હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમે સહન કર્યા, તે બીજાએ ના કરવા પડે." તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહીને પોતે ભલે તાપ વેઠ્યો, પણ, બીજા માટે છાંયડાની ટાઢક પાથરતા જાય છે. બીજાને પીડા ના થાય અથવા પીડા પર મલમ લગાવી રાહત આપવાના કાર્ય કરતા અમુક લોકોના જીવને ભલે પીડા વેઠી, પણ, બીજાના જીવનને સુધારી, તેમની યાદોની, કર્મની મીઠી સુવાસમાં સદા જીવતા હોય છે. મેં સહન કર્યુ, એટલે બીજાને પણ તે કષ્ટ પડવા જ જોઈએ. તેવું ભાવ જગત જીવનને, અંતે આત્માને દુર્ગતિ તરફ લઈ જાય છે. મેં સહન કર્યુ, હવે એવું બીજા સાથે ના થાય, તેવી લાગણીઓ અને કાર્યો, ભલે જીવનમાં કષ્ટ ભોગવ્યા હોય, પણ, અંતે જીવન અને આત્મા સદ્દગતિ પામે છે. ધ્રુવ દાદાની નવલકથા "કર્ણલોક"માં દુર્ગા નામના પાત્રનું ખૂબ સરસ આલેખન કર્યુ છે. અનાથઆશ્રમમાં ઉછરેલી બાળાને મોટી થાય, ત્યાં સુધી કોઈ દત્તક લઈ જતું નથી. કેમકે, તે કચરાના ઢગલા પરથી કુતરાઓ ઢસડીને લઈ જતા...