Posts

The pain we experience does not reach others, such feelings and actions become immortal.

Image
  મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમેં વેઠ્યા, તે બીજા પણ વેઠે, તો તેમને ખ્યાલ આવશે, કે અમેં કેટલો સંઘર્ષ કર્યો." જયારે અમુક લોકોના કાર્ય એવા હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમે સહન કર્યા, તે બીજાએ ના કરવા પડે." તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહીને પોતે ભલે તાપ વેઠ્યો, પણ, બીજા માટે છાંયડાની ટાઢક પાથરતા જાય છે. બીજાને પીડા ના થાય અથવા પીડા પર મલમ લગાવી રાહત આપવાના કાર્ય કરતા અમુક લોકોના જીવને ભલે પીડા વેઠી, પણ, બીજાના જીવનને સુધારી, તેમની યાદોની, કર્મની મીઠી સુવાસમાં સદા  જીવતા હોય છે.  મેં સહન કર્યુ,  એટલે બીજાને પણ તે કષ્ટ પડવા જ જોઈએ. તેવું ભાવ જગત જીવનને, અંતે આત્માને દુર્ગતિ તરફ લઈ જાય છે.  મેં સહન કર્યુ,  હવે એવું બીજા સાથે ના થાય,  તેવી લાગણીઓ અને કાર્યો, ભલે જીવનમાં કષ્ટ ભોગવ્યા હોય,  પણ, અંતે જીવન અને આત્મા સદ્દગતિ પામે છે. ધ્રુવ દાદાની નવલકથા "કર્ણલોક"માં દુર્ગા નામના પાત્રનું ખૂબ સરસ આલેખન કર્યુ છે. અનાથઆશ્રમમાં ઉછરેલી બાળાને મોટી થાય, ત્યાં સુધી કોઈ દત્તક લઈ જતું નથી. કેમકે, તે કચરાના ઢગલા પરથી કુતરાઓ ઢસડીને લઈ જતા...

Do not fulfill responsibilities at the cost of self respect.

Image
જીવનમાં બને ત્યાં સુધી જતું કરવું, સંઘર્ષ કરવો. પણ, આત્મસન્માનના ભોગે નહીં. આત્મસન્માનથી વિશેષ મૂલ્યવાન કશું જ નથી. કોઈનું હિત થાય, તેના મુશ્કેલીના સમયમાં હું પણું દાખવ્યા વગર સંપૂર્ણ સાથ આપીએ, ત્યાં સુધી કે, અમુક બાબતોનો તેને ખ્યાલ પણ ના આવવા દઈએ ને જાતને અગવડતા આપીને તેમને સગવડતા આપીએ. આ બધું તમને મળશે એવી ભાવનાથી જો કાર્ય કરતા હોય, તો ના કરવું. કેમકે, તે તો સ્વાર્થની ભાવનાથી થયું કહેવાય. કરેલા કાર્યની નોંધ ના લેવાય, તો કાંઈ નહીં. કેમકે, ઈશ્વરે તમને શક્તિ અને સમજ આપ્યા છે, એટલા માટે તમે કરી શક્યા. જો, શક્તિ અને સમજ હોવા છતાં, તમે અન્યનું કાંઈ ના કરી શકો, તો, તમે ઈશ્વરના જ ઋણી બની રેહશો. પણ, જેમનું હિતકારી ઈચ્છવા અને કરવા છતાં, જો, તમારી ઉપસ્થિતિની અવગણના કરવામાં આવે, તો ત્યાંથી અટકી જવા માટે ઈશ્વર પણ આપણને દોષિત ના ઠેરવી શકે. જો તમે અટકશો, તો જ તેમને તમારી ઉપસ્થિતિનો તો ખ્યાલ આવશે, સાથે-સાથે તેમની જવાબદારીઓ શું છે, તે સમજી શકશે. સતત સગવડતાઓ અંદરથી ખોખલા બનાવે છે. તમારા અન્ય માટેના કાર્ય માટે અટકી જવાથી, કદાચ તેમના માટે ખરા અર્થમાં હિતકારી પણ હોય શકે. પોતે પોતાનું કાર્ય જાતે કરતા ...

આપણી ભાષા આપણી ઓળખ છે.

Image
 પ્રભાવિત થાય છે પરભાષાથી ને, નાનપ અનુભવે છે  ગર્ભનાળની જ ભાષાથી. શીખો દુનિયાની દરેક ભાષા ને બોલી પણ, વિષયનું મુળ જ્ઞાન મેળવો લોહીમાં વહેતી ભાષાથી. આપો સન્માન સઘળી ભાષાને પણ, ગર્વથી બોલો ગરવી ગુજરાતીને. હું ગુજરાતી છું, એટલે મને ગુજરાતીપણા પર નાનપ નહીં, પણ ગર્વ છે. બીજી ભાષાઓ અને ખાસ કરીને જેને સન્માન આપીએ અને ઉચ્ચ ગણાતી ભાષા એટલે અંગ્રેજી પ્રત્યે માન છે, પણ, તેને જ સર્વસ્વ માની લેવું અને આપણું મૂળ છે તેને અવગણવું તે ખોટુ છે. અત્યારે ઘણા સમયથી એક જ સિસ્ટમને આપણે ફોલો કરી રહ્યા છીએ. બાળકોને નાનપણથી આપણા મૂળ એટલે સંસ્કારો, પરંપરા અને આપણી ભાષાથી દૂર કરી રહ્યા છીએ. તેવું કરવામાં આપણે ઉચ્ચ કક્ષાની ભાવના અનુભવીએ છીએ. ઘણા માતા-પિતાને આવડતું ના હોય, પણ, પોતાના સંતાનના સુરક્ષિત ભવિષ્ય માટે ક્ષમતા બહારનો ખર્ચો કરી અથવા દેખાદેખી કરીને બાળકને એક રેસનો ઘોડો બનાવી દે છે. તેમાં સૌથી વધારે બાળકનું જ નુકશાન છે. જે બાળકના ઘરનું વાતાવરણ બીજું હોય અને તે ભણતું બીજી ભાષામાં હોય તેને આપણે જાણ બહાર બે ઘોડા પર સવારી કરાવતા હોઈએ છીએ. તે કાં તો પડે છે, કાં તો પોતાનું જ નુકશાન કરે છે. જે માતા-પિતા પોતા...

Truth and Transparency are most essential tools to achieve success in personal, professional and spritual life.

Image
સ્વાર્થ ને દેખાડો હોય, ત્યાં સત્ય ને પારદર્શિતાની અપેક્ષા ખોટી છે. લાગણીઓ સાથે રમત જેનો સ્વભાવ, ત્યાં વિશ્વાસની અપેક્ષા ખોટી છે. અસત્ય ને છળ જ જેની પાત્રતા,   ત્યાં આત્મીયતાની અપેક્ષા ખોટી છે. જેઓ હું પદ ધરાવતા હોય, જ્યાં બીજાને પ્રભાવિત કરી દેવાની ભાવના હોય, તેઓ થોડા સમયના ફાયદા માટે ખોટુ બોલતા કે ખોટું કરતા અચકાતા નથી. તેઓ સાચું શું છે તે નથી જોતા, બીજા લોકો પ્રભાવિત કઈ રીતે થાય છે અને તેની વાહવાહી કઈ રીતે થાય છે તે જ જુએ છે. આવા સ્વાર્થી જીવોને જેવા છીએ તેવા રજૂ થવામાં તકલીફ પડે છે ને દંભનો પડદો રાખીને ફરતા આવા લોકો દેખાડાને જ સર્વસ્વ માને છે. તેઓ સારા બનવામાં નહીં સારા બનવાના દેખાડો કરવામાં માહેર હોય છે. તેમને સત્ય જોડે તો જોજનો દુરનો સબંધ હોય છે. કોઈ એક વ્યક્તિ અંધ બનીને બીજા પર વિશ્વાસ કરતી હોય, તો બીજા વ્યક્તિની ફરજ છે કે એ વિશ્વાસને જીવના ભોગે પણ અકબંધ રાખે. પણ, જેમને લાગણીઓ સાથે રમવું હોય તેઓને મન વિશ્વાસની કોઈ જ કિંમત નથી. કોઈની પીઠ પાછળ છરા ભોંકવા જેવું ખરાબ કામ જ તેનો સ્વભાવ હોય તેને મન છળકપટ સામાન્ય વાત હોય છે. કોઈ વ્યક્તિ અંધ વિશ્વાસ કરતી હોય તો એના હૃદયની લાગણીઓ ...

Those who are responsible and wise are God's beloved children.

Image
  લોકો સમય, સ્થિતિ ને સંજોગ જોઈને વર્તતા હોય છે. જ્યાં પ્રતિકાર થવાનો ના હોય, ત્યાં લોકો કાર્યના કદરની વાત તો દૂર રહી, પણ, સતત અસંતોષના ભાવથી ફરિયાદો, અપમાન કે ભેદભાવ કરતા અચકાતા નથી. જ્યાં જાણે છે કે મારું કશું ચાલવાનું નથી, ત્યાં તેમની કદર થતી ના હોવા છતાં, પ્રાણ પાથરવા તૈયાર થઈ જતા હોય છે. જે પોતે અંદર અસંતોષથી ભરેલા છે, તેને કોઈ જ ખુશ કરી શકતું નથી. ઉલટું, તેની વારંવારની ફરિયાદો ને ઉદ્ધાતાઈ ભરેલા વર્તનથી બીજાને દુઃખ પહોંચાડ્યા કરે છે. તેને પ્રાણ પાથરી દીધા હોય, તો પણ ઓછું જ લાગે! આ પ્રકારના લોકોમાં તમારા કાર્યની કદર તો દૂરની વાત રહી, પણ, તમારા દ્વારા જે કાંઈ પણ કરવામાં આવે તે ઓછું જ લાગે. કેમકે, તે પોતે જ સંતોષી નથી. તેનો અસંતોષ તેમને જંપવા ના દે અને એનું વર્તન બીજાનું દિલ દુભાવતું રહે. તેઓ પોતાનો રોષ ત્યાં જ ઠાલવતા હોય છે, જ્યાં કોઈ પ્રતિકારની સંભાવના નથી. જ્યાં તે જાણે છે કે, "મને મારા શબ્દો વ્યાજ સહિત પાછા મળવાના છે." ત્યાં તેઓ સંભાળીને ચાલે છે. જ્યાં તેમનો પ્રતિકાર થવાનો છે ત્યાં તેમના શબ્દો ત્રાજવામાં તોલાઈ જતા હોય છે. પોતે અસંતોષી છે, ઘણી બધી ફરિયાદો છે, છતાં, ચૂ...

Problem or Solution : Choice is ours

Image
જેવું વાવીએ તેવું જ લણીએ, કાંટા વાવ્યા હોય ત્યાં બાવળ જ ઉગે. આજનો સમય જ્યાં વપરાયો હોય, તે જ વળતર આવતીકાલે મળે. પ્રેમ, મદદ, સહકાર આપ્યો હોય, તો નિઃશંકપણે એ જ મળશે. ઉપેક્ષા, અપમાન કે અન્યાય કર્યો હોય, તો સ્નેહના ફૂલોની અપેક્ષા રાખવી વ્યર્થ છે. ક્યારેક આથમતા સૂર્યનું દર્શન નિહાળશો તો ખ્યાલ આવશે કે સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. એ ઝડપથી પસાર થતા સમયમાં આપણે જે કરીએ છીએ એ જ આપણું આજનું અને ભવિષ્યનું જીવન છે. વીતતા સમય અને શ્વાસો સાથે શું આપણે અર્થસભર જીવન જીવીએ છીએ? અર્થસભર અર્થ ફક્ત એટલો જ કે, કશા પણ બોજ વગર, હળવા મને સમય સાથે ચાલવું.  આજનો સમય એવો છે કે, ઈચ્છવા ના છતાં માણસ માર્ગથી ભટકી જાય છે. કેમકે, ડગલે ને પગલે ડિજિટલની દુનિયાના કાંટામાં સમય કેવી રીતે પસાર થઈ જાય એ જ ખ્યાલ નથી રહેતો. ડિજિટલની દુનિયાના ફૂલો વીણીને સુગંધ માણતા આવડે, તો સવાયું, પણ, મોટાભાગનો સમય કાંટામાં જ ખૂપેલો રહે છે. તેના કારણે સ્વવિકાસ, પરિવાર અને બાળકો સાથેનો સમય બધું અધૂરું રહી જાય છે. જયારે બાળકને તમારી જરૂર હોય, ત્યારે માતા-પિતા ને પરિવારના દરેક સદસ્ય મોબાઈલમાં પડ્યા હોય, ત્યારે બાળક એ જ વસ્તુ તમા...

A daughter who breaks the mentality of society and illuminates the clan with the lives of her parents

Image
 છું હું સૃષ્ટિના સર્જનહારનું સૌથી સુંદર સર્જન, છતાં પોતાના અસ્તિત્વ, સંરક્ષણ, અને સ્વાભિમાન માટે લડુ છું. ઘરના સમ્રાજ્યની સાથે દુનિયાના દરેક ક્ષેત્રે પહોંચી, છતાં કુળદિપક ના હોવાના મહેંણા સાંભળું છું. કેટલીય શારીરિક પીડાઓની સાથે નિભાવું છું ફરજો, છતાં નિર્બળ કહેવાઉં છું. શક્તિની વારસદાર બની ખીલવું છું જીવનરૂપી પુષ્પ, છતાં અબળા કહેવાઉં છું. સૌને હૃદયના તાંતણે બાંધી, લાગણીઓના રંગો ભરી ઘરનું નિર્માણ કરું છું, છતાં જાતને ખીલવવા અનેક સાબિતીઓ આપું છું. સ્ત્રીને ભલે શારીરિક રીતે નબળી માનવામાં આવે, પણ, ઈશ્વરે તેના ઘડતર સમયે તેને માનસિક મજબૂતાઈ આપી છે, જો અંદર રહેલી શક્તિને સમજવામાં આવે, તો સ્ત્રી પોતાની જાતને વધારે મજબૂત બનાવી શકે છે. સમાજમાં હજુ પણ સંતાનમાં દીકરો જ જોઈએ એ માનસિકતા ઓછી નથી થઈ, દીકરીને લોકો જન્મ આપતા થયા છે, સ્વીકારતા થયા છે, પણ, ફક્ત દીકરી કે દીકરીઓ હોય તો, લોકો એ માતા-પિતાને બિચારાની નજરે જુએ છે. દીકરો એટલે તારણહાર, દીકરો એટલે સક્ષમ, દીકરો એટલે કુલદીપક એવું માનતા લોકો દીકરીને અક્ષમ, નબળી માનતા હોય છે. એ અક્ષમ અને નબળી એટલા માટે છે કે આપણે એને નબળી બનાવી દીધી છે. જો તેની ...