Strengthen your thoughts and perspectives rather than your life circumstances.

હજાર કારણો હાજર છે દુઃખી રહેવાના, તૈયાર જ હોય છે ફરિયાદો ને બળાપા, અંધ બની જાય છે દ્રષ્ટિ, આનંદિત રાખતા કારણ પ્રત્યે, આંસુઓની વચ્ચે ચહેરા પર, મહામુલુ સ્મિત વરસાવી શકનાર, નબળા સંજોગોને મજબૂત મનથી હરાવી, નિજાનંદમાં રહેતા જીવ ઈશ્વરે સર્જેલા કિંમતી સર્જનને સાર્થક કરે છે. જીવનમાં દુઃખી, ઉદાસ, હતાશ રહેવાના હજારો કારણો મળી રહેશે. પણ, સુખી, આનંદિત અને સંતોષી રહેવાનું કોઈ એક કારણ જીવનમાં હોય, તો હજાર કારણોને ભૂલીને તે એક કારણને પ્રાથમિકતા આપો. કેમકે, ઈશ્વરે આપેલું સુંદર જીવન જીવવા માટે છે, મરતા-મરતા જીવવા માટે નહીં. આપણા વિચારો અને આપણી આવડત પર જ જીવનમાં બનતી ઘટનાઓની પ્રતિક્રિયા સકારાત્મક બનાવી શકીએ. જેમકે, કોઈ અપમાનિત કરે, ત્યારે તેના શબ્દો ને વર્તન કરતા આપણું મન મજબૂત હોવું જોઈએ. નમ્રતાથી જવાબ આપી ઘટનાને ભૂલી જવી, આપણે ખડે પગે રહ્યા હોય છતાં, કોઈ આપણી જરૂરના સમયે મદદે ના આવે, તો સમજવુ કે, કોઈને મદદ કરી શકીએ એટલા ઈશ્વરે આપણને કાબેલ બનાવ્યા છે ને, મારી પડખે તો, જગતના સર્જનહાર છે, બધુ તેમને સમર્પિત છે. આવી જીવનની બીજી ઘણી બાબતો હોય શકે, આપણા વિચારો અને દ્રષ્ટિકોણ જ જીવન જીવતા અ...