Posts

Showing posts from August, 2020

True Success of Life

Image
 નથી નકામું ઈશ્વરનું કોઇ પણ સર્જન,  સભર છે છુપાયેલા રત્નથી એક-એક સર્જન.  સ્વમાં ડોકિયું કરી પામી લે આ રત્નને,  કર સાકાર ઈશ્વરના આ અમૂલ્ય સર્જનને .         દરેક મનુષ્યમાં કોઇને કોઇ શક્તિ છુપાયેલી હોય છે, કોઇ પાસે કલા હોય, કોઇ પાસે આવડત હોય, કોઇ પાસે બુદ્ધિ હોય. ટૂંકમાં કહું તો કુદરતના ઘડેલા માનવીમાં કાંઈક તો શક્તિરૂપી ખજાનો છુપાયેલો જ હોય છે. પણ, મોટા ભાગના માનવી એ નથી જાણતા  કે તેની અંદર કયું ખજાનારૂપી રત્ન છુપાયેલું છે.બધા પાસે એક જ પ્રકારની શક્તિની અપેક્ષા ના રાખી શકાય. કુદરતે બધામાં અલગ-અલગ પ્રકારની શક્તિનું સર્જન કર્યું છે, જેથી બધાને એકબીજાનો લાભ મળે.            કોઇ કામ નાનું નથી હોતું.એક માળી પાસે ફૂલો યોગ્ય રીતે ખીલી શકે એ માટે બિનજરૂરી પાનની કાપણી કરવાની આવડત હોય છે, તેની આ આવડતથી જ ફૂલોનો બગીચો સુંદર બને છે. બધા કામને પોત-પોતાનું મહત્વ હોય છે.પણ, મનુષ્યને ગાડરિયા પ્રવાહમાં ચાલવું વધારે પસંદ છે. પહેલેથી નક્કી કરેલા ક્ષેત્રોમાં દોડતા માનવીમાંથી જે આગળ નીકળે તે જ સફળ ગણાય છે.એ નક્કી કરેલી બાઉન્ડરીની બહાર પોતાની શક્તિ મુજબનું કાર્ય કરનાર માનવી હૃદયથી  ખુશ અને જીવનમાં સફળ હોય છે. 

Corona: God's punishment to world

Image
 હવે બહુ થયો વિનાશ,  હવે બહુ આપી સજા,  હે દયાળુ! હવે તો દયા કરો.              સૃષ્ટિનું કાળચક્ર ફર્યા કરે છે. સમયાંતરે સૃષ્ટિમાં કુદરતી રીતે કે માનવસર્જિત રીતે મોટા પાયે વિનાશ સર્જાય છે. હાલનો સમયગાળો પણ કાંઈ એવો જ ચાલી રહ્યો છે. અત્યારે માનવજાતિએ ઘણું નુકસાન વેઠ્યું છે, વેઠી રહી છે. પણ, આ કુદરતી રીતે વિનાશ સર્જાયો છે કે માનવસર્જિત એ નથી સમજાતું. જે કાંઈ પણ રીતે હોય તેમાં અંતે તો ભગવાનની મરજી જ રહેલી હોય છે, તેની મરજી વગર વૃક્ષનું એક પાંદડું પણ હલી શકતું નથી.              હાલના કોરોના કાળે પુરા જગતને ડરાવી દીધું છે. આખા જગતનો માનવી કોરોનાના કારાગૃહમાં કેદ થઈને ક્યારે તેમાંથી મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યો છે. જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે ક્યારેય આ કાળને નહીં ભૂલી શકે.             કોરોના નામની આફત કુદરતી હોય કે માનવસર્જિત અંતે તેમાં ઈશ્વરની જ ઈચ્છા છે. આ આફત કદાચ માનવજાતિએ કરેલા પાપોની સજારૂપે આવી હોય. માનવીએ પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં પાછું વાળીને જોયું નથી. જમીન અને દરિયાનું પેટાળ ખોદીને ખનીજ તત્વો માટે ધરતીમાતાને વાંઝણી બનાવી દીધી છે. શુદ્ધ શ્વાસ પણ ના લઈ

The ultimate achievement

Image
  કરું જીવનમાં કાબુ વિચારોના વેગને,  અપનાવું જીવનમાં સારા આદર્શોને.  ઘડુ જીવનમાં સારા વિચારોથી એક ટેવને,  કેળવું જીવનમાં પરીક્ષણથી આત્મનિયંત્રણને.  આચરૂં જીવનમાં આ અમૂલ્ય ધ્યેયને,  મેળવુ જીવનમાં ત્વરિત પરમસિદ્ધિને.            વ્યક્તિનું મન ક્યારેય આરામ નથી કરતુ.તેમાં વિચારોનો વેગ સતત વહ્યા કરે છે. માનવીની બેધ્યાન અવસ્થામાં સારા -ખરાબ વિચારોનો ધોધ સતત વહ્યા જ કરે છે. વિચારોના વેગ નિયંત્રિત થાય તો પોતાની જાત સાથે જીવી શકાય છે. આ નિયંત્રણ એકાગ્રતાથી શક્ય છે. ક્યારેક-ક્યારેક વ્યક્તિ પોતે જ  નથી જાણતો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. એટલે વિચારો આમ -તેમ ભટક્યા કરે છે. ધ્યાન પૂર્વક વિચારોનું નિરીક્ષણ કરી મનમાંથી નિર્બળ વિચારોને દુર કરી સતત સારા વિચારોનું સિંચન થાય તો  એક સારા આદર્શનું ઘડતર કરી શકાય છે.          સતત સારા વિચારો પ્રત્યેની એકાગ્રતાથી  એક સારી ટેવ ઘડાય છે. વ્યક્તિની ટેવનો પાયો મજબૂત હોય છે. આ મજબૂત પાયા પર બહારની નકારાત્મકતાનું તોફાન અસર કરતું નથી.મનમાં સારા વિચારોના બીજારોપણથી આદર્શનું વટવૃક્ષ ટેવ બની મોટુ થતું જાય છે જે આત્મનિયંત્રણનું મીઠુ ફળ આપે છે જે જીવનની સાચી સફળતાનો સ્

Favorable approach to unfavorable life

Image

A glorious feeling of peace

Image
અન્યને આપી અશાંતિ,  ખુદ ભટકે શાંતિની શોધમાં.  વિતાવ્યું જેને આયખું અન્ય માટે,  મળી તેને ભીતર જ શાંતિની ભવ્ય અનુભૂતિ.                   માણસનો સ્વભાવ પણ કેવો વિચિત્ર છે !જયારે તેને અન્ય  કોઇ સાથે  મનદુઃખ થયુ હોય ને તે દુઃખ કે તકલીફમાં હોય ત્યારે કહે છે કે "આપણને તેને ખૂબ તકલીફો આપી, ઘણું ખોટું કર્યું. આ તેનું જ ફળ છે, ભગવાને તેને અહીંનું કરેલું અહીંયા જ દેખાડ્યું "અને બીજું ઘણું બધું તેના વિશે કહે છે. જયારે પોતાના પર દુઃખ કે તકલીફ આવે ત્યારે તે એવું શા માટે નથી વિચારતો કે મને જેનાથી મનદુઃખ થયું છે તેવી રીતે મારાથી પણ કોઇ નારાજ હોય શકે છે, મે પણ કોઈને તકલીફ આપી હશે, મે પણ કાંઈ ખોટું કર્યું હશે, આ તેનું જ ફળ મને મળ્યું. ત્યારે તે અહીંનું કરેલું અહીં જ મળે તે નિયમ ભૂલી જઈ ભગવાનને ફરિયાદ કરતા પોતે શું સારૂ કર્યું તેની ગણતરી કરાવે છે.                અન્યના સંકટ સમયે આપણે નિર્ણાયક બની જઈએ છીએ અને આપણા સંકટ સમયે ફરિયાદી. કહેવાનો ભાવાર્થ એ કે અન્યના દુઃખના નિર્ણાયક બનવા કરતા તેના સહભાગી બનવું જોઈએ. સુખ અને દુઃખ તો નિયતિના ખેલ છે, અન્યના નસીબમાં જે સમયે દુઃખ લખેલુ હતું ત્યારે તેને મળ્ય

Bow to the brave of the country

Image
કુરબાની આપી તમારા શ્વાસોની,  અમારા આજના મુક્ત શ્વાસો માટે.  રહ્યા ઉધાર અમારા શ્વાસો,  આપણા અખંડ ભારતના નિર્માણ માટે.  પ્રણામ છે તમારી જનેતાને,  જન્મ આપ્યો તમને દેશ -સેવા માટે.  વંદન છે તમારા પરિવારને,  જેના બળે દાખવ્યું શૌર્ય દેશ માટે.  સલામ છે તમારા જુસ્સાને,  કાયરોને ભગાડી અપાવ્યો વિજયદિવસ દેશ માટે.             16 ડિસેમ્બર 1971ના રોજ કાયર પાકિસ્તાનને હરાવી દેશને વિજયદિવસ અપાવનાર અને જેના વીરતાથી આજે આપણો દેશ સુરક્ષિત છે તેવા તમામ સૈનિક યોદ્ધાઓને હૃદયપૂર્વક નમન.જેનો એક અને અંતિમ ધ્યેય દેશપ્રેમ અને દેશસેવા જ હોય છે, તેના માટે બીજી બધી બાબતો કે સમસ્યાઓ ગૌણ બની રહે છે. તેનામાં દેશપ્રેમનું જનુન એટલું તીવ્ર હોય છે કે જે ઘાયલ થઈને પણ લડતા જ રહે છે, જે ભરજુવાનીએ પણ સામી છાતીએ ગોળીઓ ખાઈને દેશ માટે શહીદી વહોરવા તૈયાર થાય છે. તેમની કુરબાનીથી જ આપણે શાંતિથી હરી -ફરી શકીએ છીએ, મોજ -શોખથી જીવી શકીએ છીએ. તેમના શ્વાસોની કુરબાનીથી આજે આપણે મુક્ત, સ્વતંત્ર શ્વાસો લઈ શકીએ છીએ. આ વાત આપણે ક્યારેય ના ભૂલવી જોઈએ.                 પોતાનું વ્યક્તિગત જીવન, મોજ-શોખ, પરિવાર અને બીજુ ઘણું બધું ત્યાગીને દેશની સરહ