Posts

Showing posts from October, 2020

Which way ?: A little happiness or true happiness

Image
 નથી રહેતું સત્ય છુપુ,  કરે કોશિશ હજાર.  સત્યની સાબિતી માટે શાને પૂછવું?  અસત્યની આંખો કહી દેશે સમગ્ર ચિતાર.               જેવી રીતે સૂરજના તેજને ઢાંકી શકાતું નથી તેવી જ રીતે સત્યને પણ છુપાવી શકાતું નથી.સત્યનો માર્ગ કાંટાળો હોય શકે, તકલીફો વેઠવી પડે.પણ, અંતે સત્યની જ જીત થાય છે. તમે આજે તેને છુપાવી શકો, પણ એક દિવસ તો તે બહાર આવશે જ એ નક્કી છે. પછી, હંમેશને માટે માર્ગ કાંટાળો જ રહે છે. કેમકે, આપણે બીજાનો વિશ્વાસ, ભરોસો ખોઈ બેસીએ છીએ. એક વખત વિશ્વાસને ગુમાવીએ તો ફરીથી તેને મેળવવા ઘણી કસોટીમાંથી પસાર થવું પડે છે. તેના કરતા બહેતર છે થોડા સમયની  ખુશી માટે અસત્યનો સહારો ના લેવો. સત્યના સહારાથી શરૂઆતમાં કષ્ટો આવશે પણ, તે સહારો અંત સુધી સાથ નિભાવશે.સામે ચાલીને ગમે તેવા કડવા સત્યનો સ્વીકાર કરીશું તો અન્યને આપણા પર મજબૂત વિશ્વાસ બંધાય જશે. સામેથી કડવા સત્યના સ્વીકાર માટે હિંમત પણ જરૂરી છે. હિંમત કરીને સામેથી કડવા સત્યનો સ્વીકાર કરીશું તો અંતે જીત આપણી જ છે.અને જો છુપાવશું હજારો પ્રયત્નો પણ નિરર્થક જશે. કેમકે, સૂરજના તેજને વાદળનું આવરણ ઢાંકી શકતું નથી.              સત્યની સાબિતી માટે પૂછવાનું ના

The heart of childhood

Image
 ક્યાં ગયા એ દિવસો?  જયારે જીવન શું છે એ જાણતા ન હતા તો પણ,  જીવતા હતા હર ઘડી મોજથી.  જીવતરના ઉંબરે પહોંચ્યા ત્યારે,  વિચારવું પડે છે હર ઘડી મોજથી જીવવા. મળે જો મને એક વરદાન,  ચાહું ફરીથી જીવવા એ બેફિકર બાળપણ.                 દરેક વ્યકિતના હૃદયમાં તેના બાળપણના સંસ્મરણો હંમેશા જીવતા રહે છે. બાળપણ એટલે બેફિકર જીવન.કોઈ પણ ઉમરના વ્યક્તિને જયારે બાળપણની યાદો તાજી થાય ત્યારે તેના ચહેરા પર એવું જ નિર્દોષ સ્મિત આવી જાય છે.એ હસતું રમતું જીવન સમયની સાથે ક્યાં ખોવાય ગયું? જીવન શું છે તેની કાંઈ જ ખબર ન હતી, જીવવા માટે કાંઈ જ વિચારવું ન હતું પડતું. બસ, બિન્દાસ્ત બનીને દિલથી, મોજથી હસતા,રમતા, રડતા, લડતા, ઝગડતા અને વળી,પાછા લડીને ભેગા થઈ જતા પણ સમય ના લાગતો.                   મજાની વાત તો એ છે કે ત્યારે જીવન વિશે અજાણ હતા તો પણ મન મૂકીને જીવતા હતા અને અત્યારે જીવનની બધી એ, બી, સી, ડી જાણ્યા પછી પણ જીવવા માટે વિચારવું પડે છે, મોજને વેચાતી લેવા જવી પડે છે.                 લોકો કહે છે કામની જવાબદારીના બોજ તળે બધું દબાય ગયું.બાળપણમાં  પણ જવાબદારી હતી જ. ત્યારે ઉંમર પ્રમાણે હતી, ભણવાનું, સ્કૂલે જવાનું, સમ

STRENGTH OF WORDS

Image
 શસ્ત્રનો  ઘા રૂઝાય જાય છે પણ,  શબ્દના ઘાની પીડા ઓસરાતી નથી.  મન બને છે બેકાબુ ને,  સર્જાય છે ક્રોધનું વાવાજોડું.  પરિસ્થિતિ શમ્યા પછી,  થાય છે પસ્તાવો.  વાવાજોડાનું વંટોળ ભલે ને થંભી જાય,  પણ, તેને રચેલા તોફાનના પગલાં થોડા મિટાવી શકે?         વ્યક્તિના શબ્દોમાં ઘણી તાકાત હોય છે. શબ્દો કોઈને પ્રેરણા પણ આપી શકે ને કોઈને દુઃખી પણ કરી શકે.માનવીના સ્વભાવમાં અનેક રંગો ભગવાને ઉમેર્યા છે. કરુણા, પ્રેમ સમજદારી, સાંત્વના, મોહ,ખુશી, ઉદાસી, લોભ,ક્રોધ અને જેવી પરિસ્થિતિ તેવું વર્તન જેવા અનેકવિધ તત્વો સ્વભાવમાં રહેલા છે. આપણા સ્વભાવ પર આપણો સંયમ હોવો જોઈએ.ગુસ્સામાં માણસ મન પરનો કાબુ ગુમાવીને સામી  વ્યક્તિને દુઃખ થાય એવું બોલી લે અને થોડા સમય પછી તેને અસહ્ય પસ્તાવો થાય તો તે શું કામનું? ત્યાં સુધીમાં બીજી વ્યક્તિના હૃદયમાં તેની પીડા અસહ્ય થઈ ગઈ હોય છે. સમયના વહેણ સાથે પણ આ પીડા ઓસરાતી નથી.તેના મનમાં સતત ક્રોધી શબ્દો ખૂંપ્યા જ કરતા હોય છે. પવિત્ર હૃદયે માંગેલી ક્ષમા કદાચ આ પીડાનો ઈલાજ કરી શકે.પણ, પોતાની જ ભૂલને સાચા હૃદયે  પસ્તાવો થવા છતાં પણ બીજી વ્યક્તિ સમક્ષ અમુક જ માનવી સ્વીકારી શકતા હોય છે. હિમત

Navratri :Auspicious Occasion

Image
 હે! જગત જનની માઁ જગદંબા,  આત્માની અશુદ્ધિ દુર કરી, શુદ્ધિ આપો.  સંઘર્ષો સામે લડવાની શક્તિ આપો.  કર્મોની જાગ્રતતા ને તેની પૂર્તિની શક્તિ આપો.  રક્ષા કરો, સદબુદ્ધિ આપો ને સાચો માર્ગ સુજાડો.  હે માઁ !આપ્યું છે તે ઘણુંય તેને સાચવવાની શક્તિ આપો.              પુરા જગતની માતાનાં રૂડા અવસરનું આગમન થયું છે. આમતો, બધા દિવસે માંની કૃપા તેમના સંતાનો પર વરસતી જ રહે છે. પણ, આ દિવસોનું મહત્વ એટલા માટે છે કે જયારે ભગવાન શિવ અને વિષ્ણુ પણ જે કામ ના કરી શક્યા તે દેવી દુર્ગાથી શક્ય બન્યું. આસુરી શક્તિ સામે દૈવી શક્તિની લડાઈ અને દૂર્ગુણો સામે સદગુણોની જીત, શક્તિની જીત સંભવ બની.              સ્ત્રી એક શક્તિ સ્વરૂપ છે. તેનો ક્યારેય અનાદર ના કરવો જોઈએ. તે ઘરથી માંડી દરેક ક્ષેત્રે સમાન માન, સન્માનની અધિકારી છે.                 આજના પાવન અવસર પર માતાજીને પ્રાર્થના કે આત્મ શુદ્ધિની શક્તિ આપે, જેવી રીતે આસુરી શક્તિ સામે દૈવી શક્તિ વિજયી બની તેવી જ રીતે અમે અમારી અંદર રહેલા દૂર્ગુણો સામે સદગુણોને વિજયી બનાવી શકીએ. મનને મજબૂત બનાવી કર્મસિદ્ધિ મેળવી શકીએ. માં ક્યારેય પોતાના સંતાનોથી નારાજ ના રહે કે ક્યારેય તેને કષ

Life Partner

Image
જો હોય તમારો સંગાથ તો,  મુશ્કેલ પરિસ્થિતિને પણ માણવી ગમે મને.  આપજો સદાયે આમ જ સાથ,  થયા કરે મારા અસ્તિત્વનો અહેસાસ મને.               જીવનના સંગાથી એટલે જીવનના સફરમાં રસ્તો કોઈ પણ હોય, કાંટાળો કે એકદમ સરળ, મંઝિલ સુધી દરેક પગલે જે સાથ નિભાવે તે,  એકબીજાની લાગણીઓને વગર કહ્યે અનુભવી શકે તે, જેના સાનિધ્યમાં જીવનનાં અસ્તિત્વનો અહેસાસ થાય તે, હૃદયને પોતાની જાત કરતા પણ વધારે સમજી શકનાર વ્યક્તિ.               જીવનમાં દરેક વ્યક્તિને આવી ખુશનસીબી નથી મળી શકતી. કેમ કે, તે લોકો એકબીજાને સમજવાને બદલે દેખાદેખી, પોતાના વિચારો સામી વ્યક્તિ પર જબરદસ્તી થોપીને, પોતાની મરજી મુજબનું જીવન જીવવાની અપેક્ષા રાખતા હોય છે. આવા લોકોના રસ્તાઓ તો સાથે હોય છે પણ એકબીજા સાથે કદમ મિલાવી શકતા નથી.એમાંથી પણ અમુક લોકો પોતાના જીવનનાં રસ્તાઓ જ અલગ-અલગ કરી નાંખે છે. તેના પરિણામની માઠી અસર બાળકો, પરિવાર અને સમાજ પર પણ થાય છે.                  એકબીજા પર વિચારો થોપવાને બદલે પોતાની મરજી મુજબના જીવન જીવવાનો ખુલો અવકાશ પરસ્પર વિશ્વાસની ભાવના જન્માવે છે. અરસ -પરસની સમજણથી સંબંધની મજબૂતાઈ વધે છે. નિસ્વાર્થ ભાવે પરસ્પરની લાગણીઓ, ક

Balance of life

Image
 નિભાવવું છે બંધન જવાબદારીનું,  પહેરવું છે કવચ સ્વતંત્રતાનું.  બંધન હોય એને,  શાનું કવચ?  બને નહીં સ્વતંત્રતા આંધળી ને,  જળવાઈ રહે જીવનની સમતુલા.  બંધન બને છે કવચ ને,  કવચ બને છે બંધન.                  આજનો માનવી કોઈ ને કોઈ જવાબદારીના બોજ તળે દબાયેલો છે. કોઈ પર આર્થિક જવાબદારી છે તો કોઈ પર પારિવારિક જવાબદારી છે.આ જવાબદારી પૂરી કરવાની સાથે વ્યક્તિનાં મનના ક્યાંક ખૂણામાં પોતાના સપનાઓ, ઉમ્મીદો પૂરું કરવાનું પોતાની માટે જીવવાનુ પોટલું બાંધેલું હોય છે. આ પોટલું આજે નહીં તો કાલે તે ખોલી શકશે, પોતાની માટે જીવી શકશે, મુક્ત બની શકશે એવી તમન્ના સાથે તે જીવતો હોય છે.એક દિવસ આઝાદ બનીને ઉડવાના અરમાનની સાથે રોજેરોજ નવી -નવી જવાબદારીઓ, ફરજોના બંધનમાં બંધાતો જ જાય છે. જે બંધાયેલું હોય એ કઈ રીતે ઉડી શકે?                    પોતાની ફરજો પૂરી કરવાની સાથે પોતાની ઈચ્છાઓ પૂરી કરવી પણ શક્ય જ છે. જો ઈચ્છાઓ, પોતાના માટે કંઈક કરવાની ઉમ્મીદને જો મનમાં જ દબાવી રાખશુ તો તે ક્યારેય પૂરું નહીં થાય. કર્મ અને ફરજ પુરા કરવાની સાથે સપનાઓ પુરા થઈ શકે છે. બસ, તેના માટે એક ચાહ જોઈએ, એ પૂરું કરવાની આગ અંદર સતત સળગતી રહે તો,