Posts

Mother give birth to me: the cry of a fetal daughter

Image
 તારામાં મારાં અહેસાસથી તું કેટલી ખુશ હતી માઁ,    તો અચાનક આટલી દુ:ખી કેમ થઈ ગઈ માઁ?                        તારામાં ઉછરી રહેલ માતૃત્વની લાગણી અમર હતી માઁ,  તો મારાં જીવનાં પરિક્ષણથી તારું માતૃત્વ કેમ મરી ગયું માઁ?  તારામાં ઉછરી રહેલ જીવને તું કુળદીપક માનતી હતી માઁ,   મારાં જન્મ પહેલા તે કેમ માની લીધું હું કુળને નહીં દિપાવું માઁ? તારામાં ઉછરી રહેલ જીવને તું વારસદાર માનતી હતી માઁ,  તું મને જન્મ તો આપ, હું આભને આંબતું નામ કરીશ માઁ. તને મળેલ કુદરતી ભેટ મેળવવા કેટલીય માનતાઓ મનાય છે માઁ,  તું નસીબદાર છો સૃષ્ટિનાં ક્રમને આગળ વધારવા કુદરતે તને યોગ્યતા આપી માઁ.  તું તારી ઈચ્છાથી કુદરતના ક્રમને ખોરવે છે કે પરિવાર નાં દબાણથી માઁ,  મને તો લાગે છે કે તું તારી સંપૂર્ણ ઈચ્છાથી જ મારી હત્યા કરાવે છે માઁ.  મારી હત્યા સમયે તારી આંખના આંસુએ મને તારા માતૃત્વનો અહેસાસ કરાવ્યો માઁ,  જતા-જતા ભગવાનને પ્રાર્થના કરું કે તારા પાપની સજામાંથી તને મુક્તિ આપે માઁ.       ...

Happiness of life

Image
  ના રહે મને કોઇ પ્રત્યે ફરિયાદ,  આપી શકું હું સર્વને ક્ષમા. ના દેખાય મને બીજાના દોષ,   જોઈ શકુ હું સર્વના ગુણ. ના બનાવે મને સંજોગ આધિન,  બનાવી શકું હું સંજોગને અનુકૂળ. ના દેખાય મને મારો સ્વાર્થ,  મેળવી શકું હું અપાર શાંતિ-સંતોષ.  ના સમજાય મને જો આ સત્ય તો,  રાખી શકું હું જીવને કેવી રીતે ખુશ ?              જીવનનો મોટા ભાગનો સમય આપણે ફરિયાદો કરવામાં જ વ્યતિત કરીએ છીએ. તેને મારી સાથે આમ ના કરવું જોઈએ, તેઓ મારી કદર નથી કરતા, મે કેટલુ જતું કર્યું પણ મને શું મળ્યું, મારે જ દર વખતે વગર વાંકે સાંભળવાનું અને બીજી ઘણી બધી ફરિયાદો સંબંધોમાં ઉદભવતી હોય છે. બીજા પ્રત્યે ફરિયાદ કરતા પેહલા આપણી જાતનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ક્યાંક બીજાની ભૂલ માટેનું મૂળ કારણ આપણે તો નથી ને? કદાચ આપણી ભૂલ છે જ નહીં, આપણે સાચા જ છીએ તો પણ, જેટલી ફરિયાદો ઓછી કરશુ તેટલો મનનો બોજ હળવો થશે. સંબંધને મજબૂત રાખવાની એક જ ક્ષમા નામની દવા છે. આપણે બીજાની ભૂલની ક્ષમા આપીએ એટલે આપણું મન જ હળવું ફૂલ બની જાય છે. બીજાની ભૂલને ભૂલીને આપણા મનને જ શાંતિનો અહેસા...

True Success of Life

Image
 નથી નકામું ઈશ્વરનું કોઇ પણ સર્જન,  સભર છે છુપાયેલા રત્નથી એક-એક સર્જન.  સ્વમાં ડોકિયું કરી પામી લે આ રત્નને,  કર સાકાર ઈશ્વરના આ અમૂલ્ય સર્જનને .         દરેક મનુષ્યમાં કોઇને કોઇ શક્તિ છુપાયેલી હોય છે, કોઇ પાસે કલા હોય, કોઇ પાસે આવડત હોય, કોઇ પાસે બુદ્ધિ હોય. ટૂંકમાં કહું તો કુદરતના ઘડેલા માનવીમાં કાંઈક તો શક્તિરૂપી ખજાનો છુપાયેલો જ હોય છે. પણ, મોટા ભાગના માનવી એ નથી જાણતા  કે તેની અંદર કયું ખજાનારૂપી રત્ન છુપાયેલું છે.બધા પાસે એક જ પ્રકારની શક્તિની અપેક્ષા ના રાખી શકાય. કુદરતે બધામાં અલગ-અલગ પ્રકારની શક્તિનું સર્જન કર્યું છે, જેથી બધાને એકબીજાનો લાભ મળે.            કોઇ કામ નાનું નથી હોતું.એક માળી પાસે ફૂલો યોગ્ય રીતે ખીલી શકે એ માટે બિનજરૂરી પાનની કાપણી કરવાની આવડત હોય છે, તેની આ આવડતથી જ ફૂલોનો બગીચો સુંદર બને છે. બધા કામને પોત-પોતાનું મહત્વ હોય છે.પણ, મનુષ્યને ગાડરિયા પ્રવાહમાં ચાલવું વધારે પસંદ છે. પહેલેથી નક્કી કરેલા ક્ષેત્રોમાં દોડતા માનવીમાંથી જે આગળ નીકળે તે જ સફળ ગણાય છે.એ નક્કી કરેલી બાઉન્ડરીની બહ...

Corona: God's punishment to world

Image
 હવે બહુ થયો વિનાશ,  હવે બહુ આપી સજા,  હે દયાળુ! હવે તો દયા કરો.              સૃષ્ટિનું કાળચક્ર ફર્યા કરે છે. સમયાંતરે સૃષ્ટિમાં કુદરતી રીતે કે માનવસર્જિત રીતે મોટા પાયે વિનાશ સર્જાય છે. હાલનો સમયગાળો પણ કાંઈ એવો જ ચાલી રહ્યો છે. અત્યારે માનવજાતિએ ઘણું નુકસાન વેઠ્યું છે, વેઠી રહી છે. પણ, આ કુદરતી રીતે વિનાશ સર્જાયો છે કે માનવસર્જિત એ નથી સમજાતું. જે કાંઈ પણ રીતે હોય તેમાં અંતે તો ભગવાનની મરજી જ રહેલી હોય છે, તેની મરજી વગર વૃક્ષનું એક પાંદડું પણ હલી શકતું નથી.              હાલના કોરોના કાળે પુરા જગતને ડરાવી દીધું છે. આખા જગતનો માનવી કોરોનાના કારાગૃહમાં કેદ થઈને ક્યારે તેમાંથી મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યો છે. જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે ક્યારેય આ કાળને નહીં ભૂલી શકે.             કોરોના નામની આફત કુદરતી હોય કે માનવસર્જિત અંતે તેમાં ઈશ્વરની જ ઈચ્છા છે. આ આફત કદાચ માનવજાતિએ કરેલા પાપોની સજારૂપે આવી હોય. માનવીએ પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં પાછું વાળી...

The ultimate achievement

Image
  કરું જીવનમાં કાબુ વિચારોના વેગને,  અપનાવું જીવનમાં સારા આદર્શોને.  ઘડુ જીવનમાં સારા વિચારોથી એક ટેવને,  કેળવું જીવનમાં પરીક્ષણથી આત્મનિયંત્રણને.  આચરૂં જીવનમાં આ અમૂલ્ય ધ્યેયને,  મેળવુ જીવનમાં ત્વરિત પરમસિદ્ધિને.            વ્યક્તિનું મન ક્યારેય આરામ નથી કરતુ.તેમાં વિચારોનો વેગ સતત વહ્યા કરે છે. માનવીની બેધ્યાન અવસ્થામાં સારા -ખરાબ વિચારોનો ધોધ સતત વહ્યા જ કરે છે. વિચારોના વેગ નિયંત્રિત થાય તો પોતાની જાત સાથે જીવી શકાય છે. આ નિયંત્રણ એકાગ્રતાથી શક્ય છે. ક્યારેક-ક્યારેક વ્યક્તિ પોતે જ  નથી જાણતો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. એટલે વિચારો આમ -તેમ ભટક્યા કરે છે. ધ્યાન પૂર્વક વિચારોનું નિરીક્ષણ કરી મનમાંથી નિર્બળ વિચારોને દુર કરી સતત સારા વિચારોનું સિંચન થાય તો  એક સારા આદર્શનું ઘડતર કરી શકાય છે.          સતત સારા વિચારો પ્રત્યેની એકાગ્રતાથી  એક સારી ટેવ ઘડાય છે. વ્યક્તિની ટેવનો પાયો મજબૂત હોય છે. આ મજબૂત પાયા પર બહારની નકારાત્મકતાનું તોફાન અસર કરતું નથી.મનમાં સારા વિચારોના બીજારોપણ...

Favorable approach to unfavorable life

Image

A glorious feeling of peace

Image
અન્યને આપી અશાંતિ,  ખુદ ભટકે શાંતિની શોધમાં.  વિતાવ્યું જેને આયખું અન્ય માટે,  મળી તેને ભીતર જ શાંતિની ભવ્ય અનુભૂતિ.                   માણસનો સ્વભાવ પણ કેવો વિચિત્ર છે !જયારે તેને અન્ય  કોઇ સાથે  મનદુઃખ થયુ હોય ને તે દુઃખ કે તકલીફમાં હોય ત્યારે કહે છે કે "આપણને તેને ખૂબ તકલીફો આપી, ઘણું ખોટું કર્યું. આ તેનું જ ફળ છે, ભગવાને તેને અહીંનું કરેલું અહીંયા જ દેખાડ્યું "અને બીજું ઘણું બધું તેના વિશે કહે છે. જયારે પોતાના પર દુઃખ કે તકલીફ આવે ત્યારે તે એવું શા માટે નથી વિચારતો કે મને જેનાથી મનદુઃખ થયું છે તેવી રીતે મારાથી પણ કોઇ નારાજ હોય શકે છે, મે પણ કોઈને તકલીફ આપી હશે, મે પણ કાંઈ ખોટું કર્યું હશે, આ તેનું જ ફળ મને મળ્યું. ત્યારે તે અહીંનું કરેલું અહીં જ મળે તે નિયમ ભૂલી જઈ ભગવાનને ફરિયાદ કરતા પોતે શું સારૂ કર્યું તેની ગણતરી કરાવે છે.                અન્યના સંકટ સમયે આપણે નિર્ણાયક બની જઈએ છીએ અને આપણા સંકટ સમયે ફરિયાદી. કહેવાનો ભાવાર્થ એ કે અન્યના દુઃખના નિર્ણાયક બનવા કરતા તેના સહ...