Posts

Showing posts from July, 2020

TRUE RELIGION

Image
પ્રભુની પ્રતિકૃતિની પૂજા છે મારો પ્રભુ પરનો વિશ્વાસ,  ધીમે -ધીમે વિશ્વાસ બન્યો મારો ધર્મ,  ધર્માંધ કૃતિનું આચરણ છે ખોટો મારો દંભ,  માનવસેવા એ જ પ્રભુસેવા એ સાચો મારો ધર્મ,   નિભાવું ફરજ ને કરું મારું કર્મ તે સાચો મારો ધર્મ.  ભારત એક વિવિધતા ધરાવતો દેશ છે. આ વિવિધતાના દેશમાં જે એક અને અટલ તત્વ છે તેના પણ પોતપોતાના વિશ્વાસ પ્રમાણે વિવિધ નામો અપાયા છે. એટલે કે લોકો પોતાના વિશ્વાસ પ્રમાણે અલગ -અલગ ધર્મદેવતાની પૂજા કરે છે. આ એક ઈશ્વરરૂપ તત્વની લોકો પોતાના વિશ્વાસ મુજબ જુદા -જુદા પ્રભુના નામે પ્રતિકૃતિની પૂજા -અર્ચના કરે છે. પછી ધીમે -ધીમે આ ગાઢ વિશ્વાસ ધર્મના નામે ઓળખાય છે.  ધર્મના નામે ધર્માંધ કૃતિનું આચરણ કરી આપણે ખોટા દંભી પણ બની જઈએ છીએ. જેમકે, શંકરદાદાના શિવલિંગ પર આપણે દૂધ ચઢાવીએ એ આપણી તેમના પરની શ્રદ્ધા છે. તેમના પર દૂધનો અભિષેક શાસ્ત્ર પૂરતું કરી બાકીના દૂધને કોઈ ગરીબ બાળકને શા માટે ના આપી શકીએ?, બાકીનું દૂધ જો તે ગરીબ બાળકને આપીશું તો કદાચ તે જીવમાં બેસેલ શિવ પણ રાજી થશે.અમુક મંદિરોમાં ભગવાનના વિ. આઈ. પી દર્શનનું આયોજન રાખવામાં આવે છે અને આપણે હોંશે -હોંશે જઈએ પણ છીએ. એટલી રકમ કોઈ

The victory of truth

Image
શાને થાય છે તું દુઃખી?  સાચો ન્યાય તો દુનિયાના રાજાના દરબારમાં થાય છે. મળી છે તને હાર જીવનમાં,  સાચી જીત તો કર્મનાં નિયમની થાય છે. ના નિરાશ થા તું જીવનમાં,  અંતે સત્યનો વિજય થઈ ન્યાયનું પલ્લું તોળાય છે.         જીવનની નાની અને નકામી વાતોથી દુઃખી થઈને આપણે જાતે જ આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. નજીવી વાતોથી પરેશાન થઈને આપણી અંદર બેઠેલા પરમાત્માને આપણે દુઃખી કરીએ છીએ.આપણા સુખ અને દુઃખના નિર્માણકાર આપણે જાતે જ છીએ.ચાલો માની લઈએ કે, બીજાના વર્તન-વ્યવહારથી આપણને દુઃખ થતું હોય. કદાચ આપણે  નિર્દોષ પણ હોય .આપણા  કાર્યની કદર ના થતી હોય, આપણને  માન -સન્માન, પ્રેમ મળવાને બદલે અપમાન મળતું હોય.તો માનવ સહજ દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ, એ દુઃખને આપણા પર હાવી શા માટે થવા દેવું?બીજાના દોષે આપણી જાતને શા માટે તકલીફ આપવી? બીજા જે કરે છે એ એમનું કર્મ છે. એમના વર્તન -વ્યવહારથી આપણા અંતરાત્માને શા માટે દુભાવવો? વળતા વ્યવહારમાં પણ આપણું કર્મ ચોખ્ખું હોવું જોઈએ. કેમકે, બધા કાર્યોની કદર, કર્મોની નોંધ દુનિયાના રાજાના દરબારમાં થાય છે. તો આપણે વળતો વ્યવહાર બીજા જેવો જ રાખશુ તો દુનિયાનો રાજા એ પણ નોંધશે. અમુક દુઃખ

The essence of life

Image
હું દુર્ગુણો દુર કરી,  જીવનમાં સદગુણો કેળવી શકું.  હું કંઈ જ ના બની શકું તો કંઈ નહીં,  જીવન મારું બીજાને ઉપયોગી બનાવી શકું.  છે મારી આકાંક્ષા એક સારૂ ચારિત્ર્ય ઘડવાની,  પ્રભુને પ્રાર્થના કે એવો જીવનનો સાર બનાવી શકું.                        કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. ભગવાને દરેક વ્યક્તિમાં દુર્ગુણો અને સદગુણોનું સંયોજન રચ્યું છે. આપણે આપણા દુર્ગુણોને જાણતા હોવા છતાં તેના પ્રત્યે બેધ્યાન રહીયે છીએ. જીવનમાં દુર્ગુણોથી દુર રહેવું એટલું સરળ પણ નથી. ગમે તેટલા પ્રયત્નો કરીએ તેનાથી બચી નથી શકાતું. બસ, આ પ્રયત્નોને અવિરત રાખી ધીમે -ધીમે  દુર્ગુણો પર વિજય મેળવવો જોઈએ. તેના માટે જરૂરી છે સારા પુસ્તકોનું વાંચન, સારા લોકોનો સંગાથ અને સકારાત્મકતા. તેનાથી જીવનમાં દૂર્ગુણો પર વિજય મેળવી સદગુણો કેળવી શકીશું.             જીવનમાં ગમે તેટલો મોટો હોદ્દો, સત્તા કે સંપત્તિ મેળવી હોય, પણ, કોઈ બાળકને વેઠ, બાળમજૂરી કરતા જોઈને દિલ ના કંપે તો એ શું કામનું? કોઈ બાળક આગળ વધવા ઇચ્છતું હોય ને મજબૂરીવશ જીવનમાં પ્રગતિ ના સાધી શકતું હોય ને તે બધું આપણી નજર સામે હોવા છતાં બેધ્યાન રહીએ ત્યારે આ હોદ્દો, સંપત્તિ શું કામના? જી

Feelings

Image
નથી મારી આકૃતિ કે,  નથી મારી કલાકૃત્તિ.  નથી થતી મારી ગણતરી કે,  નથી થતો મારો હિસાબ.  ઉદ્દભવું છું અંતરના ઉંડાણથી ને,  જોડાઉં છું જીવોમાં પરસ્પર સ્નેહના સેતુથી.  નથી મારી પરિભાષા કેમકે,  હું છું લાગણી.                 લાગણીનો જન્મ અંતરના ઉંડાણમાંથી થાય છે. તેને વ્યકત થવા શબ્દોની પણ જરૂર નથી રહેતી, મૌનથી પણ તે વ્યકત થઈ શકે છે.નાનું જન્મેલું બાળક પણ આ ભાષાને સમજી શકે છે. સંપૂર્ણપણે નવી દુનિયામાં જન્મેલું બાળક માઁનો સ્પર્શ થતા જ શાંત થઇ જાય છે, કંઈ જોઇ કે અનુભવી ના શકતું બાળક પોતાની માતાના સ્પર્શ, હૂંફ, સાંત્વનાને અનુભવી શકે છે. મૂંગા પશુઓ પણ લાગણીની ભાષાને સમજે છે.              લાગણીનું મૂલ્ય ભેટ -સોગાદોથી આંકી શકાતું નથી. લાગણીને  વ્યકત થવા બાહ્ય વસ્તુઓની  આવશ્યકતા નથી, જેમકે, મોંઘી ભેટ -સોગાદ, રૂપિયા -પૈસા અને એવું બીજું ઘણું બધું. મોંઘી ભેટ -સોગાદ ના આપી શકતા વ્યક્તિના હૃદયમાં પણ તમારા પ્રત્યે અપાર ભાવ હોય શકે ને મોંઘી વસ્તુઓનો ધોધ વહાવનાર વ્યક્તિનું હૃદય કદાચ તમારા પ્રત્યે ભાવશૂન્ય હોય શકે, તે કદાચ તમારી ભાવનાઓ સમજી ના શકે.ટૂંકમાં, કહેવાનો ભાવાર્થ એટલો જ કે, બે વ્યક્તિ વચ્ચેની સમજણનુ

Rise of karma

Image
આત્માએ દેહ ધર્યો,  થયો એક જન્મ.  આત્માએ દેહ છોડ્યો,  થયું એક મૃત્યુ.  આત્મા તો છે અજન્મય,  થાય છે દેહનું જન્મ ને મરણ.  આત્માની સાક્ષીએ થઈ એક પ્રક્રિયા,  નામ પડ્યું એનું જિંદગી.  આગળ થવાની લ્હાયમાં દોડતી રહી જિંદગી,  પહોંચી મૃત્યુની સમીપ. આત્માએ કર્યો એક સવાલ જિંદગીને,  શાને તે કંઈ આપ્યું નહીં સાથે લઈ જવા માટે?  આત્મા લઈ જશે સાથે કર્મોનું ભાથું,  દેહ નથી કંઈ લાવતો કે લઈ જતો સાથે.  આત્મકલ્યાણ અર્થે જયારે થાય કર્મોનો ઉદય,  થાય છે સાર્થક ત્યારે મનુષ્ય દેહનો જન્મ.                    જયારે પૃથ્વી પર કોઈ જીવનો જન્મ થાય છે ત્યારે તેના દેહમાં એક ચેતન તત્વનું અસ્તિત્વ હોય છે, હકીકતમાં આ ચેતન તત્વ જ દેહ ધારણ કરે છે. જન્મ તો શરીરનો થાય છે, આત્મા તો અજન્મય છે. આ ચેતન તત્વ શરીરમાંથી વિદાય થાય છે ત્યારે  શરીરનું મૃત્યુ થાય છે. આત્મા તો અમર જ રહે છે.               ઈશ્વરે ગણીને આ શરીરમાં શ્વાસો ભર્યા છે.આત્માની સાક્ષીએ શરીરના શ્વાસો ચાલતા રહે છે. આ પ્રક્રિયાને આપણે જીવન તરીકે ઓળખીએ છીએ.  શ્વાસો પુરા એટલે જિંદગી પણ પૂરી. જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી પણ, તેની વચ્ચે જીવાતી જિંદગી તો આપણી જ છે. ઈશ્વરે ગ

The Degree is not everything

Image
              બાહ્ય સ્પર્ધામાં નીવડેલા અમુક વિજેતાઓ જીવનની નીતિમત્તા નથી જાળવતા હોતા. જેમકે, કોઈ ડૉક્ટર જાતિ પરિક્ષણ કરે, કોઈ વકીલ અપરાધીનો સાથ આપે, કોઈ સી. એ  બેનામી આવક દર્શાવે, કોઈ શિક્ષક અયોગ્ય વિદ્યાર્થીને વગર પરીક્ષાએ ઉતીર્ણ  કરે અને આવા ઘણા બધા ડિગ્રીધારીઓ પોતાના આર્થિકહેતુના સ્વાર્થ માટે સમાજના દુશ્મન બને છે જેને આપણે કાગળ પર ઉંચો બુદ્ધિમતા આંક દર્શાવવા પર તેજસ્વી માનીએ છીએ.                               સાચો તેજસ્વી માનવી એ જ છે કે જે મુશ્કેલ સંજોગોમાં પણ જીવનના મૂલ્યોને જાળવી રાખી પોતાનું જીવન બીજાને સમર્પિત કરે, જે નિડરતાપૂર્વક જીવનના સંઘર્ષોનો સામનો કરી વિજયી બને તે ખરા અર્થમાં શૌર્ય એટલેકે તેજસ્વીના ગુણને સાર્થક કરે છે.               જેઓ ઉંચા બુદ્ધિમતા આંક સાથે જીવનના મૂલ્યોને સાર્થક કરે તો તેઓ સમાજ માટે સોનામાં સુગંધ ભળવા જેવું કાર્ય કરતા હોય છે.                         ભારતીય સમાજમાં નાનપણથી જ બાળક પર ભણતરનો બોજ નાખી દેવામાં આવે છે. જેથી આ બોજારૂપ ભણતરને કારણે બાળક તેમાં રસ-રુચિ દાખવતું નથી. ઉલ્ટાનું તેનાથી દુર ભાગતું જાય છે. બાળકને ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે તો તેનુ

Prayer has power

Image
ભલે ના દેખાય તમારો ચહેરો,  પણ સૃષ્ટિના કણેકણ માં છો તમે. જયારે  જીવનમાં સર્જાય છે કપરા સંજોગો,  ત્યારે અંદરથી ઉદ્દભવતા આત્મવિશ્વાસમાં છો તમે.  થાય છે મારી સહૃદય કરેલી પ્રાર્થનાનો સ્વીકાર,  ત્યારે થતા અમૂલ્ય અહેસાસમાં છો તમે.   છે મારા માટે જે અયોગ્ય,  તેના આપેલા દૈવી સંદેશામાં છો તમે.                     ઈશ્વરે કરેલું આ સૃષ્ટિનું સર્જન અદ્ભૂત છે. તેમાં પણ તેના બનાવેલા માનવીની રચના તો તેની ઉત્તમ કારીગરી છે. કેમકે, માનવીની અંદર ઈશ્વરે લાગણીઓ, સંવેદનાનો સ્ત્રોત ઉમેર્યો છે. આ જગતના કણેકણમાં પ્રભુ બિરાજમાન છે. બસ, તેને નીરખવા માટે આંતરદ્રષ્ટિ કેળવવાની આવશ્યકતા છે.                મનુષ્ય પર જયારે આફતોના વાદળ સર્જાય છે ત્યારે તે હિંમત હારીને નિરાશ થઈ જાય છે, ભગવાન પરનો વિશ્વાસ ગુમાવી  દે છે. આ સંજોગોમાં માનવીએ ઈશ્વર પર શ્રદ્ધા દાખવવી જોઈએ. જયારે જયારે જીવનમાં સંકટ સર્જાય છે ત્યારે તેનો સામનો કરવાની અદમ્ય શક્તિ પણ તેની સાથે જન્મ લે છે. તેના માટે આંતરદ્રષ્ટિ કેળવી કુદરત અને માનવી વચ્ચેના શ્રેષ્ઠ સંવાદની આવશ્યકતા છે. આ શ્રેષ્ઠ સંવાદ એટલે પ્રાર્થના. સાચા દિલથી, નિસ્વાર્થ ભાવે અને સહૃદય કરેલી પ્રાર

A true warrior

Image
 જીવન એક સંગ્રામ છે,  ક્યારેક આશા તો ક્યારેક નિરાશા છે.  તકલીફમાંથી તક શોધવી એ સાચી વીરતા છે.  નિભાવીએ ફરજ એક યોદ્ધાની,  ક્યારેક હાર તો ક્યારેક જીત છે.  આત્મવિશ્વાસથી જે લડે છે જિંદગીનો જંગ, એ  જ સાચો શૂરવીર છે.             જીવન એક સંઘર્ષ છે.ખરેખર તો સંઘર્ષ વિનાનું જીવન હોય જ નહીં. બહારથી બધું બરાબર લાગતું હોય તેવા માનવીની અંદર પણ એક સંઘર્ષ ચાલતો જ હોય છે. કોઈ સંઘર્ષની સામે હારી જાય છે તો કોઈ તેની સામે બાથ ભીડે છે. આ સંઘર્ષોની સામે હિંમતથી, આત્મવિશ્વાસથી લડીએ, જે મળ્યું હાર કે જીત તે ઈશ્વરની મરજી માનીને ઈશ્વરે આપેલા આ અમૂલ્ય જીવનને માણતા રહીએ.....               બધાને આ જીવનની દોડમાં આગળ નિકળી જવુ છે, બધાને પોતાની જિંદગી બહેતર બનાવવી છે પણ જેના માટે પ્રયત્નો કરીએ છીએ તેને તો ભૂલી જ જઈએ છીએ, એટલેકે, આ જિંદગી ને સારી બનાવાના પ્રયત્નોમાં તેને જ આપણે જીવતા નથી. નાની નાની બાબતોની ખુશી, સ્મિત આનંદ, શાંતિ, સંતોષ એ તો કંઈ મળતું નથી ને ઉલ્ટાનું વધારે તણાવમાં આવી જઈએ છીએ.               એક વાત યાદ રાખવી જોઈએ, જીવનમાં  સંઘર્ષ છે તો છે જ, એ ક્યાંય નથી જવાનો.એ આપણા પર છે કે આપણે તેને નકારાત્મકતાથી લઈ

Housewives of Indian society

Image
બાળપણ થી યુવાની સુધી ચાલી પપ્પાની ઈચ્છા,  હવે શ્વાસોના માલિક પતિ સાસુ સસરા. નાનું કુમળું મન પારકા ઘરના નામથી ડરતું,  આ પારકા ઘરને ક્યારે બનાવી શકીશ પોતાનું?  ઘર-ઘરતાંની રમત રમતાં આવી પહોંચી યુવાની,  જિંદગીની રમત રમતાં બની શ્રેષ્ઠ ગૃહિણી. સવારથી સાંજ સુધી હોય અનેક ફરજ,  તોય લાગે સાવ નવરાં વ્યક્તિનું લેબલ. નાની આંખોએ જોયા હતાં કંઈ કેટલાય સ્વપન,  જવાબદારીના ભાર તળે દટાયા કેટલાય સ્વપન. છે જિંદગીની ગતિને કર્મ પર અડગ વિશ્વાસ,  ધીરજ ધરતાં જરૂર મળશે આત્મજ્યોતનો સહવાસ.                     હા, હું ગૃહિણીની વાત કરી રહી છું. ભારતીય સમાજમાં એક ગૃહિણીથી જ ઘરની શોભા વધે છે. તેના વગરનું ઘર ફક્ત એક મકાન કહેવાય છે. એક મકાનમાં રહેનાર સૌની સવારથી સાંજ સુધી નાની મોટી જરૂરિયાતો પુરી કરનાર અને બધાની સારસંભાળ રાખનાર વ્યક્તિથી જ મકાન ઘર બને છે.         એક ગૃહિણીથી ઘરના તમામ સદસ્યો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એક પરિવારનું નિર્માણ થાય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ફરજ સૌ પ્રથમ તેના પરિવાર માટે હોવી જોઈએ, કેમકે, તેને એ કુદરતી બક્ષિસ મળેલી હોય છે. આ કુદરતી ગુણોથી તો તે એક ગૃહનું નિર્માણ કરી એક ગૃહિણી બને છે

Prayer to God

Image
Q૧ I thank God for giving me this beautiful life. .I apologize for the mistakes I made.Give me strength to do what you have given me to do on earth .I do not want to hurt anyone .I can keep everyone happy. Take away the negativity and instill positivity in me.Give me the strength to not be distracted by my karma in any situation  and always be aware of it. My parents, family, friends, elders, good people of the world, trees and plants, give peace, contentment in this entire creation. Do good to all.